કોરોના મહામારી વચ્ચે ફરી એક વખત ભાજપના નેતાઓએ કોરોના ની માર્ગદર્શિકા ને અભરાઈએ ચડાવી,શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે?

Published on: 8:26 am, Tue, 5 January 21

ધીરે-ધીરે કોરોના વાયરસના સંક્રમણની માં ઘટાડો થઈ રહ્યો છે અને બીજી બાજુ કોરોના ની રસી નું આગમન થવાની તૈયારી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના આગમનના પગલે ભાજપના નેતાઓએ કોરોનાની માર્ગદર્શિકાને અભરાઈએ ચઢાવી દીધી છે.ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ દ્વારા.

કોરોના ની માર્ગદર્શિકાનો ઉલ્લંઘન કરવામાં આવ્યું છે ત્યારે એવું લાગી રહ્યું છે કે કાયદો માત્રને માત્ર આમ જનતા માટે જોડાયા હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. હાઇકોર્ટની ફટકાર છતાં અનેક નેતાઓ માર્ગદર્શિકા નુ યોગ્ય પણે પાલન કરતા નથી અને ખુલ્લેઆમ તેનું ઉલ્લંઘન કરે છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા અમદાવાદ એરપોર્ટ પર આવ્યા ત્યારે ભાજપના કાર્યકર્તા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ના નિયમો ને ગજવામાં મૂકી દીધા હતા. કમલમમા પણ એટલી જ ભીડ જોવા મળી હતી.ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવેલા.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ એ ભાજપના નેતાઓએ પેટાચૂંટણીમાં સારા પ્રદર્શન બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, ભારતમાં લોકડાઉન લાગુ થતાં ઘણી રાજકીય પાર્ટીઓ પણ જાણે લોકડાઉન થઈ ગઈ હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં.

ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરશે તેવો આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું કે, ભાજપ પાસે નરેન્દ્ર મોદી, અમિત શાહના સબળ નેતૃત્વ છે તો બીજી તરફ કોંગ્રેસની ડૂબતી નાવ છે. કોંગ્રેસમાં આજે બધુ અસ્તવ્યસ્ત છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના મહામારી વચ્ચે ફરી એક વખત ભાજપના નેતાઓએ કોરોના ની માર્ગદર્શિકા ને અભરાઈએ ચડાવી,શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે?"

Leave a comment

Your email address will not be published.


*