જામનગર જિલ્લાના કાલાવડના રિનારીના પાટિયા પાસે કાર, બાઈક અને છકડો રિક્ષા વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો – 5 લોકો ઈજાગ્રસ્ત, 1નું મૃત્યુ

Published on: 4:14 pm, Wed, 9 February 22

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રીનારી ગામના પાટિયા પાસે બનેલી એક ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર અહીં એક બાઈક, કાર અને છકડો રિક્ષા વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી. આ ઘટનામાં બાઈક ચાલકનું મૃત્યુ થયું છે. જ્યારે કારમાં સવાર એક જ પરિવારના પિતા-પુત્ર સહિતના પરિવારજનોને ઇજા પહોંચી છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના રીનારી ગામના પાટિયાથી 500 મીટર આગળ ટોડા ગામ તરફ જતા રોડ પર ગઇકાલે GJ 03 AU 5653 નંબરની છકડો રીક્ષાએ સામેથી આવતા GJ 03 CP 4782 નંબરની બાઇકને ટક્કર લગાવી હતી.

જેમાં બાઇક પર સવાર 40 વર્ષીય મગનભાઈ રૂપાભાઈ સાડમિયા જમીન પર પટકાયા હતા. આ ઘટનામાં તેમના માથાના અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેમનું કરૂણ મૃત્યુ થયું હતું.

આ અકસ્માતમાં છકડો રિક્ષા ચાલકે બાઈક સિવાય GJ 10 AF 8979 નંબરની કારને પણ જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર હરિ ભાઈ જીવા ભાઈ બાબરીયાને ગંભીર ઈજા પહોંચી હતી. તઉપરાંત જગદીશ ભાઈને પણ ડાબા હાથે ઈજા પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઉપરાંત છકડા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં બાઇક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જામનગર જિલ્લાના કાલાવડના રિનારીના પાટિયા પાસે કાર, બાઈક અને છકડો રિક્ષા વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો – 5 લોકો ઈજાગ્રસ્ત, 1નું મૃત્યુ"

Leave a comment

Your email address will not be published.


*