લગ્નના 5 દિવસ બાદ પતિએ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો શું છે સમગ્ર ઘટના

Published on: 4:50 pm, Tue, 8 February 22

પ્રેમ લગ્નના 5 દિવસ બાદ એક યુવકે ટ્રેનની આગળ વધીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર યુવકે 2 ફેબ્રુઆરીના રોજ લવ મેરેજ કર્યા હતા. મળતી માહિતી અનુસાર લગ્ન બાદ બન્નેના પરિવારો રાજી થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર 5 ફેબ્રુઆરીના રોજ મૃત્યુ પામેલા યુવકની પત્નીએ સાથે રહેવાની ના પાડી દીધી હતી.

અને પોતાના પિયર ચાલી ગઇ હતી. મળતી માહિતી અનુસાર ત્યાર બાદ યુવતીની સાળી અને સાળાએ યુવકને દાદાગીરી બતાવી હતી. આ બધાથી કંટાળીને યુવકે સોમવારના રોજ રાત્રે ટ્રેનની આગળ કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ મહેશકુમાર હતું.

તેની ઉંમર 24 વર્ષની હતી. તેને 2 ફેબ્રુઆરીના રોજ 24 વર્ષીય રાધા ગુપ્તા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. મળતી માહિતી અનુસાર 4 ફેબ્રુઆરીના રોજ યુવતીના પરિવારજનોને લગ્નની જાણ થઈ હતી. બન્નેના પરિવારો લગ્નથી રાજી હતા.

ત્યારે 5 ફેબ્રુઆરીના રોજ રાધાએ મહેશ સાથે રહેવાની ના પાડી દીધી હતી અને તે પોતાના પિયર ચાલી ગઇ હતી. ત્યારબાદ મહેશના સાળા અને ભાભીએ મહેશ પર દાદાગીરી કરવાનું શરૂ કરી દીધું હતું. આ બધાથી મહેશ ડિપ્રેશનમાં આવી ગયો હતો.

મળતી માહિતી અનુસાર મહેશે જોધપુર જતી ટ્રેન ની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ઘટના બન્યા બાદ પોલીસે મહેશ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું અને ત્યારબાદ મહેશ ના મૃતદેહને સંબંધીઓને સોંપી દીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નના 5 દિવસ બાદ પતિએ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો શું છે સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*