ચોંકાવનારી ઘટના : અમદાવાદમાં એક પિતાએ પોતાના જ પુત્રનો જીવ લઈ લીધો – જાણો શા માટે કર્યું આવું…

Published on: 5:40 pm, Tue, 8 February 22

અમદાવાદમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં એક પિતાએ પોતાના પુત્રનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર કનુ ભરવાડ નામના વ્યક્તિએ પોતાના પુત્ર ભવાન ભરવાડનો જીવ લઈ લીધો છે.

મળતી માહિતી અનુસાર ભવાનભાઇ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓને દારૂ પીવાની ટેવ હતી. અને ભવનભાઈ ની પત્ની સાથે મનદુઃખ થતાં તેમની પત્ની પિયર ચાલી ગઇ હતી.

ભવાન ભરવાડની દારૂ પીવાની આદતને લઇને તેના પિતા કનુ ભરવાડ સાથે તેમની અવારનવાર માથાકૂટ થતી હતી. ત્યારે થોડાક દિવસ પહેલાં પણ દારૂના બાબતે પિતા અને પુત્ર વચ્ચે માથાકુટ થઇ હતી.

આ માથાકૂટ એટલી વધી ગઈ કે પિતા અને એટલો ગુસ્સો આવ્યો કે તેને પોતાના પુત્રનો જીવ લઇ લીધો હતો. આ સમગ્ર ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

આ સમગ્ર ઘટનાને લઇને કનુભાઈ ના બીજા પુત્રએ કનુભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. દારૂની બાબતના બનેલી માથાકૂટમાં પરિવારનો જવાન દીકરો મૃત્યુ પામ્યો છે.

આ સમગ્ર ઘટનાને લઇને હાલ સરદારનગર પોલીસે પિતા કનુ ભરવાડની પુત્રનો જીવ લઈ લેવાના બાબતે અટકાયત કરી છે. આ ઘટના બની ત્યારે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. એક દારૂ એ ખુશીથી ભરેલા પરિવારમાં દુઃખ નાખી દીધું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ચોંકાવનારી ઘટના : અમદાવાદમાં એક પિતાએ પોતાના જ પુત્રનો જીવ લઈ લીધો – જાણો શા માટે કર્યું આવું…"

Leave a comment

Your email address will not be published.


*