સ્કૂલેથી આવીને નદીમાં ન્હાવા ગયેલા 2 વિદ્યાર્થીનું પાણીમાં ડૂબી જતા કરુણ મોત… બંનેના માં-બાપ રડી રડીને અડધા થઈ ગયા…

Published on: 1:15 pm, Sun, 17 September 23

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં શાળાએથી આવીને નદીમાં ન્હાવા ગયેલા બે વિદ્યાર્થીઓ પાણીમાં ડૂબી ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ ગામના લોકોને થઈ હતી. પછી સ્થાનિક તરવૈયાઓની મદદથી પાણીમાં ડૂબી ગયેલા બંને બાળકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી.

પરંતુ બાળકોનો કોઈપણ પ્રકારનો પતો લાગ્યો નહીં. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ એનડીઆરએફની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. તેમણે પણ બે કલાક સુધી શોધખોળ કરી પરંતુ બંનેનો કોઈપણ પ્રકારનો પતો લાગ્યો નહીં.

ત્યારબાદ મોડી રાત થઈ ગઈ એટલે શોધખોળ બંધ કરી દીધી હતી. ત્યારે આજરોજ સવારે બંને બાળકોના મૃતદેહ આપમેળે ઉપર ઉપર આવી ગયા હતા. ત્યારબાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ ઘટના બિહારના મોતીહારી માંથી સામે આવી રહે છે.

આ ઘટનામાં 12 વરસના અમન કુમાર અને 14 વર્ષના ચંદન કુમારનું મોત થયું છે. બંને ધોરણ નવમાં અભ્યાસ કરતા હતા. બંનેનું કરુણ મોત થતા જ બંનેના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. શનિવારના રોજ આ ઘટના બની હતી અને રવિવારના રોજ સવારે બંનેના મૃતદેહ નદીમાંથી મળી આવ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે શાળાએથી આવ્યા બાદ બંને બાળકો એક સાથે નદીમાં ન્હાવા માટે ગયા હતા. દરમિયાન બંને પાણીમાં ડૂબી ગયા હતા. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સ્કૂલેથી આવીને નદીમાં ન્હાવા ગયેલા 2 વિદ્યાર્થીનું પાણીમાં ડૂબી જતા કરુણ મોત… બંનેના માં-બાપ રડી રડીને અડધા થઈ ગયા…"

Leave a comment

Your email address will not be published.


*