ભાજપના દિગ્ગજ મંત્રીનું થયું દુઃખદ અવસાન, પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ થયા ભાવુક – જાણો

Published on: 9:47 am, Mon, 17 August 20

ઉત્તર પ્રદેશના હોમગાર્ડ પ્રધાન અને પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણ નું નિતન થયેલ છે. ચાર વાગ્યાની આસપાસ કાર્ડિયાક અરેસ્ટ ને કારણે ચેતન ચૌહાણ નું મોત નીપજ્યું હતું. એની ગુરુગ્રામ ની મેન્ડતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે મોત નીપજ્યું હતું. ચેતન ચૌહાણ ને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો.

થોડા કલાકો પહેલા જ 73 વર્ષીય ચેતન ચૌહાણ ની તબિયત લથડી હતી. તેમની કિડની ખરાબ થઈ ગઈ હતી. જેના કારણે તેને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા.ચેતન ચૌહાણ નો કોરોનાવાયરસ નો અહેવાલ જુલાઈ મહિનામાં જ સકારાત્મક આવ્યો હતો. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેતન ચૌહાણ ના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.

આપણે જણાવી દઈએ કે ચેતન ચૌહાણ ભારતીય ક્રિકેટ ટીમનો મહત્વપૂર્ણ બેટ્સમેન રહ્યો છે. ચેતન ચૌહાણ એ ભારતીય ક્રિકેટ ટીમ માટે 40 ટેસ્ટ મેચ રમી છે. આ સિવાય ચેતન ચૌહાણ સાત વન-ડેમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ચેતન ચૌહાણે ટેસ્ટ મેચોમાં 2084 રન બનાવ્યા છે. ટેસ્ટ મેચોમાં તેનો ઉત્તમ સ્કોર 97 રન છે.

ક્રિકેટ બાદ ચેતન ચૌહાણ અને રાજકારણમાં પોતાની ઈનિંગની શરૂઆત કરી હતી.ચેતન ચૌહાણ ભારતીય રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા. ચેતન ચૌહાણ એ ભારતીય જનતા પાર્ટીના લોકસભા સાંસદ રહી ચૂક્યા છે.1991 અને 1998ની ચૂંટણીમાં તેઓ ભાજપના ટિકિટ પર સાંસદ બન્યા હતા . ચેતન ચૌહાણ ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં પ્રધાન હતા.

Be the first to comment on "ભાજપના દિગ્ગજ મંત્રીનું થયું દુઃખદ અવસાન, પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ થયા ભાવુક – જાણો"

Leave a comment

Your email address will not be published.


*