અમરેલીના ગોકુળ એપારમેન્ટ પરથી નીચે પડતા એક મહિલાનું કરુણ મૃત્યુ, મૃત્યુનું કારણ હજુ પણ અકબંધ…જાણો સમગ્ર ઘટના…

Published on: 9:50 am, Sun, 28 August 22

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અમરેલીના લાઠી રોડ પર આવેલા ગોકુલ એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પડવાના કારણે એક મહિલાનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઉપરાંત પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ બનાવ અકસ્માતનો છે કે સુસાઇડનો તેની કોઈપણ માહિતી સામે આવી નથી. મહિલાનું મૃત્યુ કયા કારણોસર થયું તેનું હજુ કોઈ પણ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાનું નામ ગીતાબેન કરસનભાઈ બોદર હતું અને તેમની ઉંમર 42 વર્ષની હતી. ગીતાબેનનું ગોકુળ એપાર્ટમેન્ટના ચોથા માળીથી નીચે પડવાના કારણે કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાની જાણ થતા અમરેલી સીટી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસે ગીતાબેનના મૃતદેહને કબજે લઈને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ ઘટના રેસીડન્ટ વિસ્તારમાં બની હોવાના કારણે ઘટના સ્થળે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. આ બનાવ અકસ્માતનો છે કે સુસાઇડનો તેની હજુ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા થઈ નથી.

ગીતાબેનના મૃત્યુના કારણે એમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. હાલમાં તો પોલીસે ગીતાબેનનું કયા કારણોસર મૃત્યુ થયું તેનું સાચું કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમરેલીના ગોકુળ એપારમેન્ટ પરથી નીચે પડતા એક મહિલાનું કરુણ મૃત્યુ, મૃત્યુનું કારણ હજુ પણ અકબંધ…જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*