અમદાવાદના આ યુવક પર ચોરીનો આક્ષેપ લાગતા કેનાલમાં કૂદીને આપઘાત કર્યો, આપઘાત કરતા પહેલા વિડીયો બનાવીને કહ્યું કે…

અમદાવાદ શહેરના કાળી ગામના યુવક પર ચોરીનો આક્ષેપ લાગતા યુવકે આપઘાત કરી નાખ્યો છે. મિત્રો વાત જાણે એમ છે કે અમદાવાદના યુવકે કડી નજીક કેનાલમાં જઈને આપઘાત કર્યો છે અને વાત એમ છે કે કાળી ગામના અમૃત દતાણી નામના યુવકે આપઘાત પહેલા વિડીયો બનાવ્યો હતો

અને જણાવ્યું હતું કે મારી જ્ઞાતિના કોઈ ચોર નથી અમને ફસાવે છે.રેલવેના કેબલની ચોરી અંગે અમે કશું જાણતા નથી અને કાકા અમને ન્યાય અપાવજો આ અંતિમ શબ્દો સાથે તેને આપઘાત કર્યો હતો. 25 ઓગસ્ટે યુવકની પોલીસે ધરપકડ કરી હતી અને ચોરીની આશંકામાં પોલીસે ઘરમાંથી તેને ઉઠાવી ગઈ હતી.

જેલમાંથી છૂટ્યા બાદ યુવક ગુમસૂમ રહેતો હતો અને ઘરેથી પેટ્રોલ પુરાવવા જવાનું કહીને તે કેનાલમાં કૂદી આપઘાત કર્યો હતો. સોશિયલ મીડિયાના જમાનામાં હવે લોકો આપઘાત કરતા પહેલા વિડીયો બનાવી રહ્યા છે.ત્યારે સાથે સાથે બીજી ઘટના પણ સામે આવી છે ને તેમાં એવું છે કે રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા અલકાબેન પરમાર નામના 32 વર્ષીય પરણીતાએ

ઝેરી દવા પી લેતા તેનું મોત થયું હતું અને પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સાસરિયાંઓના ત્રાસથી પરણિત મહિલાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પરણીતા એ આત્મહત્યા કરતા પહેલા એક વિડીયો બનાવ્યો હતો અને હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*