હરિયાણામાં મળી ખેડૂતોની મહાપંચાયત, ખેડૂત મહાપંચાયત માં લેવાયા આ પાંચ મહત્વના નિર્ણય

Published on: 2:01 pm, Mon, 8 February 21

ખેડૂતોના પંચાયતમાં કિસાન મોરચાના નેતાએ જણાવ્યું કે 26મી જાન્યુઆરીના પ્રકરણ પછી સરકારે દમનકારી નીતિ અપનાવી છે. સંયુક્ત કિસાન મોરચા ના કારોબારી સદસ્યની મહાપંચાયત ને સંબોધન કરતા ખેડૂત નેતા દર્શનપાલસિંહએ જણાવ્યું કે.

26 જાન્યુઆરી ના પ્રકરણ બાદ સરકારે દમનકારી નીતિ અપનાવી છે પરંતુ ખેડૂત સંગઠનો અને ખાપની મદદથી ખેડૂત આંદોલન વધારે મજબૂત બન્યું છે.તેઓએ કહ્યુ કે સરકાર દિલ્હી બોર્ડર પ્રદશન સ્થળો પર વીજળી અને પાણી

અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય બંધ કરવા તૈયાર છે. સરકારે સમજી જવું જોઈએ કે ખેડૂતો પીછેહઠ નહિ કરે, સંયુક્ત કિસાન મોરચાની 40 સભ્યોની સમિતિમાં રહેલા બલબિર સિંહ રાજેવાલે.

મહા પંચાયતમાં જણાવ્યું કે ખેડૂત જમીન થી અલગ નહીં રહી શકે.ખેડૂતોની મહાપંચાયત માં આપવા જ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.

1.કૃષિ કાયદો પાછો ખેંચવો જોઈએ અને એમએસપી ગેરંટી નક્કી કરવી જોઈએ.
2.દિલ્હીની પરેડમાં ધરપકડ કરાયેલા યુવક અને ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.

3.ખેડૂતો વિરુદ્ધ દાખલ ખોટા કેસો ને રદ કરવા જોઈએ.
4.દિલ્હીની હિંસામાં ઝડપાયેલા ખેડૂતોના જે વાહનો કબજે કરાયા છે તેને મુક્ત કરવામાં આવે.
5. એન એચ 152 ડી માટે હસ્તગત કરેલી જમીનનું વળતર મેળવવા ખેડૂતો

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હરિયાણામાં મળી ખેડૂતોની મહાપંચાયત, ખેડૂત મહાપંચાયત માં લેવાયા આ પાંચ મહત્વના નિર્ણય"

Leave a comment

Your email address will not be published.


*