સરકારની નીતિઓના વિરુદ્ધમાં આ યુનિયનોએ કર્યું દેશ વ્યાપી હડતાળનું આહવાન, જનજીવન પર પડી શકે છે અસર

સરકારની નીતિઓના વિરોધમાં દેશના અનેક યુનિયનોએ દેશવ્યાપી હડતાલનું આહવાન કર્યું છે. 2 ઓક્ટોબરના રોજ એટલે કે ગઈકાલ ના રોજ 10 જેટલા કેન્દ્રીય શ્રમિક સંગઠનો અને તેમના સહયોગી સંગઠનો ની જાહેરાત અનુસાર હડતાળ પર જવાનો નિર્ણય કામદારોએ લીધો હતો. આ નિર્ણય ઓનલાઇન રાષ્ટ્રીય સંમેલનમાં લેવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું કે, સંમેલનમાં તમામ કામદારોને, તે યુનિયન સાથે જોડાયેલા હોય કે નહીં, સંગઠિત ક્ષેત્ર અથવા અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા હોય,ખેડૂત વિરોધી અને રાષ્ટ્ર વિરોધી નીતિઓ વિરુદ્ધ સહિત સંઘર્ષ અને તેજ કરવા 26 નવેમ્બરના રોજ દેશ વ્યાપી સામાન્ય હડતાળ ને સફળ બનાવવા નું આહવાન કરવામાં આવ્યું છે.

સંમેલનમાં કામદારો સાથે સંયુક્ત રૂપથી રાજ્ય, જિલ્લા, ઉદ્યોગ ક્ષેત્ર સ્તર પર સંભવ હોય, ભૌતિક રૂપથી ઓનલાઇન સંમેલન ઓક્ટોબર ના અંત સુધી આયોજિત કરવા માટે કહેવામાં આવ્યું છે. શ્રમ સંહિતાઓ નો કામદાર ઉપર પડનારો ખરાબ પ્રભાવ વિશે વ્યાપક અભિયાન નવેમ્બરના મધ્ય સુધી ચલાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. 26 નવેમ્બર 2020 ના દિવસે દેશ વ્યાપી હડતાળનું આહવાન કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય શ્રમિક સંગઠનો અને સ્વતંત્ર મહાસંઘ દ્વારા સંયુક્ત રૂપથી ઓનલાઇન આયોજિત કામદારોના રાષ્ટ્રીય સંમેલન મહામારી વચ્ચે પહેલી વાર યોજવામાં આવ્યું હતું. ટ્રેડ યુનિયનોએ આરોપ લગાવ્યો કે જ્યાં તમામ સંકેતે જણાવી રહ્યા છે કે માંગમાં ઘટાડાના કારણે અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડા આવી રહ્યા છે.

સરકાર ધંધાને સુગમતા નામે પોતાની નીતિઓને આગળ વધારી રહી છે. તેનાથી નિર્ધનતા તથા સંકટ વધુ ગાઢ બની રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*