તહેવારો ને લઈને મોદી સરકારે જાહેર કરી ગાઈડલાઇન, નવરાત્રિમાં મળશે આ છૂટછાટ

Published on: 6:16 pm, Tue, 6 October 20

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને તહેવારોની સિઝનમાં સાવચેતી રાખવા માટે નવી ગાઈડ લાઈન જાહેર કરી છે. નવી માર્ગદર્શિકા હેઠળ કન્ટેન્મેન્ટ ઝોન ની અંદર કોઈપણ તહેવાર ના કાર્યક્રમનું આયોજન કરવામાં નહીં આવે અને સાથે જ પૂજા, મેળા, રેલીઓ, પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમને લઇને પણ વિશેષ આદેશ આપવામાં આવ્યા છે.ટૂંક જ સમયમાં નવરાત્રી શરૂ થવાની છે. અને સમગ્ર દેશમાં માતાજીના પંડાલ લગાવવામાં આવે છે.

અનેક પ્રકારના મેળા અને કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે.માર્ગદર્શિકા પ્રમાણે ધાર્મિક કાર્યક્રમો માટે અલગ-અલગ પ્લાનિંગ કરવી પડશે અને ભીડભાડ અને સોશીયલ ડિસ્ટન્સ નું પૂરું ધ્યાન રાખવું પડશે. ફિઝિકલ ડિસ્ટન્સ માટે જમીન ઉપર નિશાન લગાવવા પડશે જેનાથી વચ્ચેની જગ્યા નું અંતર છ ફૂટ રાખવું પડશે. કાર્યક્રમમાં વ્યવસ્થાપક કોને સેનીટાઈઝર અને થર્મલ ગન ની પ્રયાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની રહેશે.

જે જગ્યા ઉપર કાર્યક્રમ કરવામાં આવશે ત્યાં સીસીટીવી કેમેરા રહેશે જેનાથી સોશીયલ ડિસ્ટન્સ ના નિયમોનું પાલન થઈ શકે. ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન ફિઝિકલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજીયાત રહેશે.

તે સિવાય ધાર્મિક રેલીઓના રૂટ પ્લાનિંગ પણ પહેલાથી જ કરવામાં આવશે અને મૂર્તિની વિસર્જન ની જગ્યા પણ પૂર્વ નિર્ધારિત રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "તહેવારો ને લઈને મોદી સરકારે જાહેર કરી ગાઈડલાઇન, નવરાત્રિમાં મળશે આ છૂટછાટ"

Leave a comment

Your email address will not be published.


*