અબુધાબીમાં સૌથી મોટું હિન્દુ મંદિર તૈયાર,આ સુંદર મજાના મંદિરની પહેલી તસવીર આવી સામે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન, જાણો મંદિરની ખાસીયત.

મિત્રો અબુધાબી ની અંદર પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર તૈયાર થઈ ગયું છે અને બીએપીએસ સંસ્થા નું આ મંદિર UAE નું સૌથી મોટું હશે. આ મંદિર ખૂબ જ સુંદર છે અને આ મંદિરમાં પથ્થરોની ખૂબ સારી પણ કરવામાં આવી છે અને આ મંદિરનું ઉદઘાટન 14 ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું છે

આ મંદિર 18 ફેબ્રુઆરીથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. હાલમાં જ આ મંદિરની તસવીરો સામે આવી છે જે ખૂબ જ સુંદર છે. UAEમાં બનેલા હિન્દુ મંદિરનું નામ BAPS હિન્દુ મંદિર છે, જેનું નિર્માણ BAPS સંસ્થાના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે. આ મંદિર 27 એકર જમીન પર બનેલ છે, જે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન દ્વારા દાનમાં આપવામાં આવ્યું છે.

જેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ઉપસ્થિત રહેશે.આ મંદિર 18 ફેબ્રુઆરી થી સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે અને હાલમાં જ આ મંદિરની તસવીરો સામે આવી રહી છે

અને મંદિર ખૂબ જ સુંદર છે અને આ હિન્દુ મંદિરનું નામ બીએપીએસ હિન્દુ મંદિર છે જેનું નિર્માણ બીએપીએસ સંસ્થાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે અને મંદિર 27 એકર જમીનમાં બનેલ છે અને મંદિરની જમીન ત્યાંના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયન દ્વારા દાનમાં આપવામાં આવ્યું છે.

મંદિરમાં આવવાની સાથે સાથે એક ખૂબ જ આકર્ષક ધોધ પણ બનાવવામાં આવ્યો છે, જે પવિત્ર ભારતીય નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીના સ્ત્રોતનું પ્રતિનિધિત્વ કરે છે.મંદિરના બહારના ભાગમાં 96 ઘંટ સ્થાપિત કરવામાં આવ્યા છે. મંદિરના ફર્શને આધુનિક ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યો છે જેથી લોકોને ફ્લોર પર ઉઘાડપગું ચાલવામાં કોઈ મુશ્કેલી ન પડે. મુખ્ય આકર્ષણ એ મંદિર પોતે છે, જે અરબી પ્રતીકો સાથે ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસ દર્શાવે છે. મંદિરની અંદરની પથ્થરની કોતરણી ભારતીય મહાકાવ્યો રામાયણ અને મહાભારત અને હિંદુ ગ્રંથો અને પૌરાણિક કથાઓમાંથી અન્ય કથાઓમાંથી મહત્વપૂર્ણ ક્ષણો દર્શાવે છે. મંદિર, પ્રાચીન હિંદુ 'શિલ્પ શાસ્ત્ર' (વાસ્તુશાસ્ત્રનો સંસ્કૃત લખાણ) અનુસાર બાંધવામાં આવ્યું હતું, જેમાં આરબ પસંદ કરેલ મૂલ્ય ઇજિપ્તીયન, મેસોપોટેમિયન, એઝટેક અને ભારતીય સંસ્કૃતિની વાર્તાઓ બતાવવામાં આવી છે.

દોસ્તો આપને જણાવી દઈએ કે આ મંદિરની ડિઝાઇન વર્ષ 2018 માં બનાવવામાં આવી હતી અને 2019 માં તેનો શિલાયન્સ કરવામાં આવ્યો હતો અને આ મંદિર ભારતના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે મંદિર વિશે જો વાત કરવામાં આવે તો તેની ઊંચાઈ 108 ફૂટની છે અને ૪૦ હજાર ક્યુબેક મીટર માર્બલ અને 180 હજાર ઘન મીટર સેન સ્ટોનનો સમાવેશ થાય છે.

દોસ્તો આ મંદિરની અંદર પ્રવેશતા તમને સાત અમીરાતની રેતીમાંથી બનેલા પ્રભાવશાળી ટેકરાની રચના છે ને તે સંસ્થાના દિવગત આધ્યાત્મિક નેતા પરમ પૂજ્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજના વિઝનને શ્રદ્ધાંજલિ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે જેમને 1997માં શાહજહાંની રનની મધ્યમાં રહેતા અબુધાબીમાં મંદિર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

મંદિરની અંદરની કલાકૃતિ જોવા જેવી છે. મંદિરમાં બે ભવ્ય ડોમ પણ બનાવવામાં આવ્યા છે, જેને 'ડોમ ઓફ હાર્મની' અને 'ડોમ ઓફ પીસ' કહેવામાં આવે છે. આ મંદિરમાં સ્વામિનારાયણ, રામ, સીતા, કૃષ્ણ અને અયપ્પન સહિત ભારતના વિવિધ ભાગોનું પ્રતિનિધિત્વ કરતા હિન્દુ દેવતાઓની સ્થાપના કરવામાં આવશે. તેમાં સાત શિખરો બનાવવામાં આવ્યા છે, જેની નીચે દેવતાઓને રાખવામાં આવશે. મંદિરમાં વપરાયેલ પથ્થરોની કોતરણી પર હિન્દુ મંદિરની ઝલક જોઈ શકાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*