પુલવામા થયેલા આંતકી હુમલાના આંતકવાદીઓને આ યુવતીએ 15 વખત જમાડયા હતા, છેલ્લે હવે પકડાઈ ગઈ

Published on: 9:46 am, Fri, 28 August 20

આશરે દોઢ વર્ષ પહેલા કાશ્મીરના પુલવામાં થયેલા આંતકવાદી હુમલામાં માર્યા ગયેલા 40 જવાનો ની ઘટના માં એનઆઈએ મંગળવારે જમ્મુની ખાસ અદાલતમાં 13500 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં ચોંકાવનારી વાત બહાર આવી હતી.કશ્મીરની એક મહિલા અને તેના પિતાએ પુલવામા હુમલાના આરોપી આંતકવાદીઓને પંદર વખત રહેવા અને જમવાની વ્યવસ્થા કરી હતી. કૂવામાં કાનની એકમાત્ર મહિલા અંતકવાદી અને તેના પિતાની એનઆઈએ ધરપકડ કરી લીધી છે. ચાર્જશીટમાં 19 આરોપીઓના નામ બતાવવામાં આવ્યા છે. પુલવામાં હુમલા માં જેસે એ મોહમ્મદ, અલ-કાયદા અને પાકિસ્તાની સંસ્કાર ની લીંક બહાર આવી છે.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ 14 ફેબ્રુઆરી 2019 ના દિવસે પુલવામા સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલાની તપાસ પુરી કરી છે અને જમ્મુ ની કોર્ટમાં 13500 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. આ ઘટનામાં 40 જવાનો શહીદ થયા હતા.એનઆઈએ ચાર્જશીટમાં જણાવ્યું છે કે આંતકવાદીઓને એક મહિલાએ મદદ કરી રહી હતી જે 23 વર્ષની ઈશા જાન છે.

ઈશા જાન પુલવામા હુમલાના મુખ્ય સૂત્ર ધાર ઉમર ફારૂક ના સંપર્ક માહિતી. ઉમર ફારૂક જેસ એ મોહમ્મદ ના લીડર મસૂદ અઝહર નો ભત્રીજો થતો હતો. ઈશા જાન ઉમર ફારુક સાથે કલાકો સુધી ફોન પર વાત કરતી હતી અને સોશિયલ મીડિયામાં પણ સંપર્કમાં હતી.એનઆઈએ અધિકારીઓએ ઈશા અને ઉમર ફારૂક ની વોટ્સ અપ ચેટ પર ટ્રેસ કરી હતી. ઈશા જાન ઉમર ફારુક સાથે ફોન પર વાત કરતી હતી તે વાતની તેના પિતા તરીક પીર ને પણ ખબર હતી.

જ્યારે આંતકવાદીઓ કાશ્મીર આવતા ત્યારે ઇશા જાણ અને તેના પિતા તારીક આંતકવાદીઓને રહેવાની અને જમવાની વ્યવસ્થા ગોઠવતા હતા. 15 વખત આંતકવાદીઓ માટે પિતા અને પુત્રી મદદ કરી હતી. એનઆઈએ જેસે એ મોહમ્મદના લીડર મસૂદ અઝહર, રઇફ અસગર સહિત 19 આરોપીઓના નામ રજૂ કર્યા છે.6 આરોપીઓના મોત થઇ ચુક્યા છે.7 ની ધરપકડ થઈ ચૂકી છે. મુખ્ય સૂત્રધાર ઉમર ફારુક પિગલીશ વિસ્તારમાં મુઠભેડ માં માર્યો ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પુલવામા થયેલા આંતકી હુમલાના આંતકવાદીઓને આ યુવતીએ 15 વખત જમાડયા હતા, છેલ્લે હવે પકડાઈ ગઈ"

Leave a comment

Your email address will not be published.


*