કોંગ્રેસના નેતાએ પ્રધાનમંત્રી મોદીની સરખામણી બંદર સાથે કરી, જન્મદિવસના દિવસે કર્યું મોટું અપમાન

આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો 70 મો જન્મદિવસ છે.આખો દેશ અને દુનિયા પ્રધાનમંત્રી મોદી ને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના એક પ્રવક્તાએ આજે ફરી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અપમાન કર્યું છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા તમામ હદો પાર કરતાં સરકાર ચલાવવા ને લઈને પ્રધાનમંત્રી મોદી વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે.

રણદીપ સુરજેવાલા એ પ્રધાનમંત્રી મોદીની સરખામણી બંદર સાથે કરી છે. સુરજેવાલા એ કહ્યું કે ‘અબકી બાર બંદર કે હાથ મેં ઉસ્તરા સરકાર’.રણદીપ સુરજેવાલા કહ્યું કે ખેડૂતોની આવક બમણી થવા અંગે ખબર નથી, ખેડૂતોની આવક ક્યારે બમણી થશે પણ ખબર નથી. કોરોનાથી ખેડૂતની આવક પર શું અસર પડી એ પણ ખબર નથી, કેટલા પ્રવાસી મજૂરો માર્યા ગયા એ ખબર નથી.

આ મોદી સરકારના સંસદમાં જવાબ. આથી તો દેશ કેવી રીતે ચાલે છે-તેમને ખબર નથી.’અબકી બાર બંદર કે હાથ મે ઉસ્તરા સરકાર ‘.કોંગ્રેસે પ્રધાનમંત્રી મોદી નું અપમાન કરું એવું કંઈ પહેલીવાર નથી બન્યું.

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પણ આ અગાઉ પ્રધાનમંત્રી મોદીની સરખામણી બંદર સાથે કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*