મહેસાણાના ONGCના કર્મચારીએ કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું, બે દિવસ બાદ મૃતદેહ મળી આવ્યું – 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…

ગુજરાત રાજ્યમાં જીવ લેવાની અને જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે થોડા દિવસ પહેલાં જીવ ટૂંકાવાની એક ઘટના બની હતી. આ ઘટનામાં મહેસાણાના ONCGના એક કર્મચારીએ માત્રાસણ કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા.

એક સ્થાનિક વ્યક્તિએ આ ઘટનાની જાણ મહેસાણા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમને કરી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ફાયર વિભાગની ટીમને બે દિવસ બાદ પાણીમાંથી મૃત્યુ પામેલા વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યું હતું.

મૃત્યુ પામેલો ONCGનો કર્મચારી મહેસાણાનો રહેવાસી હતો. તેના મૃત્યુના કારણે સમગ્ર પથકમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મકવાણા હસમુખલાલ અંબાલાલ હતું. તે મહેસાણાના સોમનાથ રોડ ઉપર આસારામ સોસાયટીમાં રહેતો હતો.

હસમુખલાલ મકવાણા ONGCના કર્મચારી હતા. મળતી માહિતી અનુસાર ફાયર વિભાગની ટીમે હસમુખલાલનો મૃતદેહન કેનાલ માંથી બહાર કાઢીને તેમના પાંચોટ ખાતે રહેતા ભાઈ કાપડિયા વિજયભાઈ અંબાલાલને સોપ્યો હતો. હસમુખલાલે કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

હસમુખલાલ સુખી-સંપન્ન પરિવારના હતા. હસમુખભાઈના મૃત્યુના કારણે ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હસમુખભાઈને બે દીકરાઓ અને એક દીકરી છે. હસમુખભાઈના બંને દીકરાઓના લગ્ન થઈ ગયા છે. આ સમગ્ર ઘટના બનતા મકવાણા પરિવારમાં શોકનું મોજી ફરી વળ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*