રાજ્યમાં વરસાદને લઈને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો વિગતે.

રાજ્યમાં થોડાક દિવસથી ઠંડીનું જોર ઘટી ગયું છે. લઘુત્તમ તાપમાન પણ ઊંચું બંધાઈ રહ્યું છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે કે, ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણમાં પલટો આવશે.

અને વાતાવરણમાં પલટા દરમિયાન કમોસમી વરસાદ પડશે.9 ફેબ્રુઆરી થી 14 ફેબ્રુઆરી સુધી વાતાવરણ વાદળછાયું રહેશે અને આપેલા ગુજરાતના અનેક વિસ્તારોમાં બે વખત ભારે વરસાદ પડી ચૂક્યો છે.

ફરીથી જો કમોસમી વરસાદ એટલે કે માવઠું થશે તો ખેડૂતોને મોટાપાયે નુકસાન થવાની સંભાવના છે.કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. આ દરમિયાન છૂટાછવાયા વરસાદી છાંટા પડી શકે છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 11 થી 14 ફેબ્રુઆરી સુધીમાં જો વાદળો વધુ ઘેરાશે તો માવઠું થઈ શકે છે.12 ફેબ્રઆરી સુધીમાં વધુ વાદળો આવવાની શક્યતા છે.વાતાવરણમાં પલટો અને માવઠા ના.

કારણે ઉભા પાકને નુકશાન થઈ શકે છે.કૃષિ પાક માટે સંરક્ષણ પગલા લેવા ખેડૂતોને સલાહ આપવામાં આવી છે.બે થી ત્રણ દિવસમાં તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો વધારો થઈ શકે છે અને આ સાથે જ રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે.

આજ રોજ અમદાવાદ શહેરમાં તાપમાન સામાન્ય રહ્યું છે અને આજે અમદાવાદ શહેરમાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળો ઘેરાતા ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે અને ફરીથી માવઠાની ભીતિ વચ્ચે જગતનો તાત ચિંતામાં ગરક થઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*