અમદાવાદમાં પાનના ગલ્લા પર ઉભેલા પતિને પત્ની ઘરે લઈ ગઈ, ત્યારબાદ પત્નીએ પતિ સાથે કર્યું એવું કે… ઘટના જાણીને તમારા પણ ટાંટિયા ધ્રુજી જશે…

અમદાવાદ શહેરમાં જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં પરિવારજનો દ્વારા જ પરિવારજનોના જીવ લેવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે વધુ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક પત્નીએ પોતાના પતિનો જીવ લઈ લીધો છે. પતિએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે તેવી વાત કરીને પત્ની પતિના મૃતદેહ પાસે ધ્રૂસકે ધ્રુસકે રડવાનું નાટક કરતી હતી. પત્ની એવું નાટક કરતી હતી કે પતિના જવાથી પત્ની આઘાતમાં સરી પડી છે.

આ સમગ્ર ઘટના બનતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે પણ પહેલા એવું જ માની લીધું કે પત્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું હશે. પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા ત્યારે આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.  રિપોર્ટ આવ્યા બાદ આરોપી કોણ છે તેની શોધખોળ પોલીસે શરૂ કરી હતી. તપાસ કરતી વખતે પત્નીએ જ પતિનો જીવ લીધો છે તેવી વિગતો સ્પષ્ટ થઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર પતિને ગલ્લા પરથી જુલાઈ કરતી કરતી પત્ની ઘરે લઈ આવી હતી અને ઘરે પતિનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો. પતિને દારૂ પીવાની ટેવ હતી જેના કારણે તેનો જીવ લેવામાં આવ્યું હતું તેવું કહેવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, અનિલ નામનો યુવક પોતાની પત્ની મંગલાબેન અને બાળકો સાથે રહેતો હતો. અનિલને દારૂ પીવાની ટેવ હતી.

જેના કારણે અનિલ અને તેની પત્ની વચ્ચે વારંવાર માથાકૂટ થતી હતી. મળતી માહિતી અનુસાર 23 જુલાઈના રોજ અનિલનો ભાઈ સુનિલ પોતાના ઘરે હતો. ત્યારે અચાનક જ સુનિલ ની પત્નીએ બૂમ પાડી હતી કે અનિલના ઘરમાં કાંઈક થયું છે. તેથી સુનીલ અને તેની પત્ની અનિલના ઘરે પહોંચ્યા હતા. જ્યાં અનિલની પત્ની મંગલા રડી રહી હતી અને અનિલનું મૃતદેહ સીડી પાસે પડ્યું હતું.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસને મંગલાએ કહ્યું હતું કે, અનિલે ઉપરના રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ત્યારબાદ અનિલના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા જ એક જ ચોકાવનારો ખુલાસો થયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે અનિલે ગળાફાંસો નથી ખાધો પરંતુ તેનો જીવ લેવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર ઘટના બની તે વિસ્તારમાં રહેતા બે લોકોએ સુનિલને કહ્યું હતું કે, 22 તારીખના રોજ રાત્રે તારો ભાઈ અનિલ પાનના ગલ્લા પાસે ઉભો હતો, આ દરમિયાન તારી ભાભી ત્યાં અપશબ્દ બોલતી બોલતી આવી હતી અને અનિલની ધુલાઈ કરતી કરતી તેને ઘરે લઈ ગઈ હતી. અને એમ પણ કહી રહી હતી કે આ જ તુજે માર ડાલુંગી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે શંકા ના આધારે અનિલ ની પત્નીની કડક પૂછપરછ કરી હતી આ દરમિયાન તેને પોતાનો ગુનો કબૂલ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*