કોરોના નું સંક્રમણ વધતા રાજ્યમાં આ જગ્યાએ તંત્રએ પાન માવા ના ગલ્લા બંધ કરાવ્યા.

Published on: 4:18 pm, Fri, 18 September 20

સૌપ્રથમ રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા અમદાવાદ શહેરમાં નોધાયી છે. અમદાવાદ મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીના કારણે અમદાવાદ શહેરમાં કોરોના નું સંક્રમણ ઘટયું છે. અમદાવાદ શહેરમાં ગાઈડ લાઈન નું લોકો ચુસ્તપણે પાલન ન કરતા ફરી એક વખત શહેરમાં પોઝિટિવ કેસ ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.હવે ફરીથી તંત્ર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાની દુકાન અને પાનના ગલ્લા પર તવાઈ બોલાવવામાં આવી રહી છે.

નિયમ ભંગ કરતા લોકોને દંડ કરવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા કેટલીક ચાની દુકાન અને પાનના ગલ્લાઓ સીલ કરવામાં આવ્યા છે.એક રિપોર્ટ અનુસાર મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલી ચાની કીટલી પર અને પાન માવા ના ગલ્લા પર સોશીયલ ડિસ્ટન્સ અને માસ્ક ના નો ભંગ કરતી જગ્યા ને બંધ કરાવવામાં આવી હતી.આ ઉપરાંત અમદાવાદ શહેરમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 20 જેટલી દુકાનો સીલ કરવામાં આવી હતી.

અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બોપલ અને ધીમા વિસ્તારમાં પાનના ગલ્લા પર ઘણી જગ્યા પર લોકો માસ્ક વગર અને સામાજિક અંતર નિયમોનું પાલન ન કરતા હોવાનું જાણવા મળ્યું.

જેથી તંત્ર દ્વારા કાર્યવાહી કરીને બોપલ વિસ્તારમાં પાન પાર્લર ધારકોને ફરજિયાત પણે દુકાનો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના નું સંક્રમણ વધતા રાજ્યમાં આ જગ્યાએ તંત્રએ પાન માવા ના ગલ્લા બંધ કરાવ્યા."

Leave a comment

Your email address will not be published.


*