નશાની હાલતમાં સૈનિકે પોતાની પત્ની અને બે વર્ષની દીકરીનો જીવ લઈ લીધો, ત્યાર પછી બંનેના મૃતદેહની એવી હાલત કરી કે… પોલીસના પણ હોશ ઉડી ગયા…

સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગત રવિવારના રોજ બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક સૈનિકે પોતાની પત્ની અને 2 વર્ષની દીકરીનો જીવ લઈ લીધો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબુલ કરતા જણાવ્યું કે, તેને પોતાની પત્ની અને દીકરીનું ગળું દબાવીને બંનેનો જીવ લઈ લીધો હતો. એટલું જ નહીં પરંતુ બંનેનો જીવ લઈને બંનેના શરીર ઉપર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, આરોપી પોલીસને સતત અલગ અલગ વાતો કહેતો હતો. આવી પરિસ્થિતિમાં આરોપીએ કંટાળીને છેલ્લે પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબુલ કર્યો હતો. તેને કહ્યું હતું કે પહેલા બંનેનું ગળું દબાવી દીધું અને પછી સળગાવી દીધા હતા. પરંતુ પોલીસને આરોપીનો આ વાતનો વિશ્વાસ આવતો ન હતો, એટલા માટે પોલીસે મૃત્યુ પામેલી મહિલા અને તેની દીકરીનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ત્યારે જાણવા મળ્યું કે આરોપીએ બંનેનું ગળું દબાવીને જીવ લઈ લીધો હતો.

આરોપીએ આવું શા માટે કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. જાણવા મળી રહ્યું છે કે આરોપીએ પહેલા પોતાની પત્ની અને પછી પોતાની બે વર્ષની દીકરીનું ઘણું દબાવી દીધું પછી બંનેને એક બેડ પર સુવડાવી દીધા હતા અને પછી બંનેને સળગાવી દીધા હતા. વિગતવાર વાત કરીએ તો રવિવારના રોજ સવારે નાયક રામપ્રસાદ નામના સૈનિકે પોતાની પત્ની રુકમીના અને બે વર્ષની દીકરી રિદ્ધિમાનું મૃતદેહ અડધા બળેલી હાલતમાં મળી આવ્યું હતું.

આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. રામપ્રસાદે પોલીસને જણાવ્યું હતું કે, સવારે ચાર વાગ્યાની આસપાસ અચાનક જ શોર્ટ સર્કિટ થતા અકસ્માત સર્જાયો હતો અને આ ઘટનામાં બંનેનું મોત થયું હતું. પોલીસને છ વાગ્યાની આસપાસ આ ઘટનાની માહિતી મળી હતી. આ ઘટના બની ત્યારે રામ પ્રસાદ સિવાય બીજું કોઈ ઘરે ન હતું. જેથી પોલીસને શંકા જતી હતી.

પોલીસ જ્યારે રામપ્રસાદની પૂછપરછ કરતું હતું ત્યારે બે દિવસ સુધી રામ પ્રસાદ સતત ખોટી ખોટી વાતો ઘટતો હતો. પરંતુ ગત મંગળવારના રોજ તેને કબુલ કર્યું કે તેને પોતાની પત્ની અને દીકરીનું ઘણું દબાવીને બંનેનો જીવ લઈ લીધો છે. પરંતુ પોલીસને રામપ્રસાદ ની વાત પર વિશ્વાસ ન હતો. એટલે મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. ત્યારે જાણવા મળ્યું કે ગળું દબાવીને જ બંનેનો જીવ લેવામાં આવ્યો છે.

જાણવા મળી રહ્યું છે કે આરોપીએ નશાની હાલતમાં આ પગલું ભર્યું છે. આરોપીનું કહેવું છે કે તેને પોતાની પત્ની સાથે અણબનાવ હતાં અને બંને વચ્ચે સતત ઝઘડો થતો હતો. જેના કારણે તેને પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*