ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે પાટીદાર અને આ સમાજ પર મહેરબાન, જાણો ભાજપે કઈ રીતે જાળવ્યા જ્ઞાતિ સમીકરણ.

કોઈ પણ ચૂંટણી હોય જેમાં સામાજિક સમીકરણ ખૂબ જ મહત્વનું હોય છે.કોઈપણ રાજકીય પક્ષ હોય સામાજિક સમરસતાની વાત કરે પરંતુ ઉમેદવારોની પસંદગી સમયે તો સામાજિક સમીકરણ આધારે જ ટિકિટ ની ફાળવણી થતી હોય છે.

જેમાં મહાનગર પાલિકામાં બીજેપી ની જો વાત કરીએ તો આ વખતે પણ તેઓએ સૌથી વધારે ટિકિટો પાટીદારોને જ આપી છે.અમદાવાદ નું મતનું ગણિત સમજીએ તો શહેરમાં સૌથી વધારે મતદારો જનરલ છે.

એ બાદ એસસી અને ઓબિસી છે તો આ સિવાય નોન-ગુજરાતી મતદારો પણ ખૂબ મોટા પ્રમાણમાં છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે જેમાં વોર્ડ લેવલ પર મતદારોનું જાતિગત સમીકરણ ધ્યાને લેવાતું હોય છે.

તેના આધારે જ બીજેપીએ ટિકિટની ફાળવણી કરી છે. આમ પણ બીજીપે માં સૌથી વધારે ટિકિટ પાટીદાર સમાજના આપવામાં આવતી હોય છે અને આ વખતે પણ એ જ સ્થિતિ રહે છે.

આ ચૂંટણી દરમિયાન ભાજપ એ અમદાવાદમાં 192 પૈકી 46 ટકા ટિકિટ પાટીદાર સમાજને ફાળવવામાં આવી છે.લગભગ 25 ટકા ટિકિટ પાટીદાર સમાજને ફાળવવામાં આવી છે.આ સિવાય જો વાત કરીએ.

તો બીજા સ્થાને ઓબીસી ને ટિકિટ આપવામાં આવી છે આ સમાજને બિજેપીએ 45 ટિકિટ આપી છે એટલે કે શહેર માં 50 ટકા જેટલા ઉમેદવાર ઓબીસી અને પાટીદાર સમાજના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*