પ્રેમ લગ્નના 4 મહિના બાદ પત્નીનું મૃતદેહ સોફા પરથી અને પતિ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું – જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 11:24 am, Sun, 1 May 22

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર કાશીનગર માંથી પતિ-પત્નીના મૃતદેહ મળી આવતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. બંનેએ ચાર મહિના પહેલા જ લવ મેરેજ કર્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ શનિવારના રોજ બપોરના સમયે થઈ હતી.

મળતી માહિતી અનુસાર ભત્રીજો બંનેના રૂમ પર ગયો હતો ત્યારે બદલી જાય રૂમનો દરવાજો ખખડાવ્યો. પરંતુ અંદરથી કોઈ જવાબ આપ્યો નહીં. ત્યારબાદ સંબંધીઓ ત્યાં આવી અને બારીમાંથી જોયું ત્યારે બંનેના મૃતદેહ જોવા મળ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર 22 વર્ષીય સંજીવ નામના યુવકે ચાર મહિના પહેલા 19 વર્ષની નીતુ નામની યુવતી સાથે લવમેરેજ કર્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં નીતિનું મૃતદેહ સોફા પરથી મળી આવ્યું હતું. જ્યારે સંજીવનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર બંને પોતાના ઘરના પહેલા માળે રહેતા હતા. નીચેના માળે તેમના ભાભી અને ધોરણમાં ભણતો ભત્રીજો રહેતો હતો. મળતી માહિતી અનુસાર સંજીવ અને નીતુ વચ્ચે ફોનને લઈને માથાકુટ થઇ હતી. ત્યારબાદ બંને પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા હતા. 11:00 ગયા છતાં પણ બન્ને નીચે આવ્યા નહીં.

આ દરમિયાન ધોરણ-3માં અભ્યાસ કરતો ભત્રીજો સ્કૂલેથી ઘરે આવ્યો હતો. ત્યારબાદ ભત્રીજો કાકા અને કાકીની રૂમમાં ટીવી જોવા માટે જાય છે. પરંતુ રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. ત્યારે ભત્રીજાએ નીચે આવીને પોતાની માતાને કહ્યું કે કાકા અને કાકી દરવાજો ખોલતા નથી. ત્યારબાદ ભાભી ઉષા ઉપરના માળે ગયા અને બારીમાંથી જોયું ત્યારે બંનેના મૃતદેહ દેખાયા હતા.

આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર ભાભી ઉષાએ જણાવ્યું કે, સંજીવની નીતુ છેલ્લા કેટલાક દિવસોથી એક ફોન કોલ પર માથાકૂટ થઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનામાં શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પ્રેમ લગ્નના 4 મહિના બાદ પત્નીનું મૃતદેહ સોફા પરથી અને પતિ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું – જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*