આમ આદમી પાર્ટીને લઈન સી આર પાટીલનો પ્રહાર, કહ્યું કે આપણો ડંડો…

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. ભાજપને આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી મોટી ટક્કર મળી શકે છે. કારણ કે આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ ગુજરાતમાં ધીરે ધીરે વધી રહ્યું છે.

તેને લઈને ભાજપ ની ચિંતા વધી છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને હાલમાં જ પદ પર એક વર્ષ પૂર્ણ થયા છે. તેવામાં સી.આર.પાટીલ ફરી એક વખત આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે.

સી.આર.પાટીલ મહેસાણામાં એક કાર્યક્રમમાં ગયા હતા ત્યાં સી આર.પાટીલે કહ્યું કે ખેડૂતો રાત્રે ડંડો લઈને નીકળે છે, એક હાથમાં ડંડો હોય છે અને બીજી હાથમાં લાઈટ હોય. પરંતુ હમણાં એક પાર્ટી હાથમાં ઝાડુ લઈને નીકળી પડી છે.

જે ખેડૂતો ડંડો લઈને ફરતા હોય તે ખેડૂતો હાથમાં ઝાડુ લઈને નીકળે તો એને શરમ આવે કે નહીં? આપણો ડંડો બરાબર જ છે એ જાળવી રાખજો.

આ ઉપરાંત સીઆર પાટીલે દીકરીઓને લઇને પણ મહત્વનું નિવેદન આપ્યું હતું કહ્યું કે, દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે. આપણે અસલામત સમાજની રચના તરફ આગળ વધી રહ્યા છીએ.

આ ઉપરાંત તેમને કહ્યું કે આજે અહીંયા બહેનો હશે તેમને કોઇ જાતનો ડર નહીં હોય, એ મોડી રાત્રે ઘરે પહોંચશે તો પણ ડર નથી. જો આ જ રીતે દીકરીઓની સંખ્યા ઘટતી જશે તો બહેનોને પોતાની સલામતી માટે દિવસે પણ ઘરમાં તાળા મારવા પડશે. પરંતુ આ વસ્તુ ન થાય તે આપણી જવાબદારી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*