28,29 અને 30 ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે પધારશે.

Published on: 7:30 pm, Wed, 26 October 22

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા મીડિયાના માધ્યમથી એક મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, મને એક માહિતી આપતા અતિશય ખુશી થાય છે કે તારીખ 28, 29 અને 30 ઓક્ટોબર ના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવવાના છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ચૂંટણીની ભાગદોડને આગળ ધપાવવા માટે ગુજરાતમાં છ અલગ અલગ જગ્યાએ આવવાના છે.

વધુમાં મનોજ સોરઠીયા એ જણાવ્યું કે 28 ઓક્ટોબરના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભામાં બપોરે 12:00 વાગે એક જાહેર સભાને સંબોધિત કરશે અને ત્યારબાદ પાટણની અંદર કાંકરેજ વિધાનસભામાં બપોરે 2:00 વાગે જાહેર સભાને સંબોધિત કરશે.

29 ઓક્ટોબરના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન નવસારીના ચીખલી વિધાનસભામાં સવારે 11 વાગ્યે એક મોટી જાહેર સભાને સંબોધિત કરશે અને ત્યારબાદ તેઓ ભરૂચના ડેડીયાપાડાના વિધાનસભાની અંદર એક જાહેર સભાને સંબોધિત કરશે.

વધુમાં વાત કરતા મનોજ સોરઠીયાએ જણાવ્યું કે 30 ઓક્ટોબરના રોજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગારીયાધાર વિધાનસભામાં એક જાહેર સભાને સંબોધિત કરશે અને ત્યારબાદ તેઓ બપોરે 2:00 વાગે ધોરાજીની અંદર એક જાહેર સભાને સંબોધિત કરશે.

વધુમાં વાત કરતા મનોજ સોરઠીયા એ જણાવ્યું કે આવી જ રીતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ત્રણ દિવસની અંદર કુલ છ સભાને સંબોધિત કરશે. આ સિવાય પણ આમ આદમી પાર્ટીની જે સ્ટેટસજી તેના માટે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે કેટલીક અગત્યની મીટીંગો કરશે અને ઘણા બધા રાજનૈતિક તથા સામાજિક મહાનુભાવોનું યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીમાં જોઇનિંગ પણ કરશે. ગુજરાતની જનતાથી મારી વિનંતી છે કે આમ આદમી પાર્ટી આ તમામ ગતિવિધિઓ અને આ તમામ કાર્યક્રમોમાં ઉત્સાહ સાથે જોડાઈને ગુજરાતમાં પરિવર્તનના સાક્ષી બને.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "28,29 અને 30 ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે પધારશે."

Leave a comment

Your email address will not be published.


*