રખડતા આખલાએ લીધો બે બાળકોને પિતાનો જીવ… બાઈક લઈને ઘરે જતા વ્યક્તિ સાથે કંઈક એવું બન્યું કે… રીબાઈ રીબાઈને કરુણ મોત…

Published on: 10:32 am, Thu, 10 August 23

ગુજરાત રાજ્યના છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. રખડતા ઢોરના કારણે અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક આખલાના કારણે 38 વર્ષના વ્યક્તિનો જીવ ચાલ્યો ગયો છે. આ ઘટના ભાભરમાંથી સામે આવી રહી છે.

જાણવા મળી રહ્યું છે કે અહીં ઇલેક્ટ્રીકની દુકાનમાં નોકરી કરતા એક વ્યક્તિ મંગળવારના રોજ સાંજના સમયે બાઈક લઈને પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં રાધે સ્કૂલ નજીક તેમની બાઈક સાથે એક રખડતો આખલો અથડાયો હતો. આ ઘટનામાં આખલાનું શિંગડું બાઈક સવાર વ્યક્તિના ગળામાં ઘૂસી ગયું હતું.

આ કારણોસર બાઈક સવાર વ્યક્તિ ગંભીર રીતે જાગ્રસ્ત થયા હતા. પછી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમને અંતિમ શ્વાસ લીધા હતા. ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો મૃત્યુ પામેલા વ્યક્તિની ઉંમર 38 વર્ષની હતી અને તેમનું નામ નરશીભાઈ રામજીભાઈ ઠાકોર હતું.

તેઓ વડાણા ગામના વતની હતા. તેઓ એક ઈલેક્ટ્રીકની દુકાનમાં નોકરી કરીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતા હતા. મંગળવારના રોજ સાંજના સમયે તેઓ નોકરી પરથી બાઈક લઈને ઘર તરફ જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં રખડતા આખલા એ તેમને અડફેટેમાં લીધા હતા. આ કારણસર નરશીભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ત્યારબાદ આસપાસના લોકો તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ તેમના સગા સંબંધીઓ પણ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન નરશીભાઈનું મોત થયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે. ઘટના બનતા જ બે દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

રખડતા આખલાઓના કારણે વધુ એક હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે. સમગ્ર ઘટના બન્યા બાદ નરશીભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. આ ઘટના બનતા જ તેમના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રખડતા આખલાએ લીધો બે બાળકોને પિતાનો જીવ… બાઈક લઈને ઘરે જતા વ્યક્તિ સાથે કંઈક એવું બન્યું કે… રીબાઈ રીબાઈને કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*