બનાસકાંઠાના ધાનેરામાં સ્કોર્પિયો કાર પલટી ખાઈ જતા સર્જાયો ગંભીર અકસ્માત, 3 લોકોના તડપી તડપીને મોત, 3 લોકો ઈજાગ્રસ્ત….

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત થયા છે અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યાર પછી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે, ધાનેરા થરાદ હાઇવે પર સવારે 4 વાગ્યાની આસપાસ સ્કોર્પિયો કાર અચાનક જ પલટી ખાઈ ગઈ હતી.

આ ઘટનામાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યો છે કે પૂરપાડ ઝડપે આવી રહેલી કાર 3 દુકાનોના શેડ અને એક દુકાનનું શટર તોડીને ડિવાઈડર સાથે અથડાઈ હતી.

જાણવા મળી રહ્યું છે કે, સ્કોર્પિયો કાર કોઈ અન્ય ગાડીનો પીછો કરતી હતી, ત્યારે આ ઘટના બની તેવું કહેવામાં આવી રહ્યું છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે ચોરા પરબડીથી ગાડીનો પીછો કરતી વખતે ધાનેરા હાઇવે પર ગાડી અચાનક જ પલટી ખાઈ ગઈ હતી.

આ સમગ્ર ઘટનાને લઈને શું હકીકત છે તે અંગેની પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે પણ તપાસ કરી છે. ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. મોતના સમાચાર મૃતકોના પરિવારજનોને થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાને લઈને ખુલાસો થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*