હે ભગવાન આવા દિવસો કરીને ન બતાવતો…! ગોંડલના આ પરિવારમાં 24 કલાકમાં એવી દુઃખદ ઘટના બની કે… સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે…

ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગોંડલમાં બનેલી એક એવી દુઃખદ ઘટના સામે આવી રહી છે કે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. વાત કરીએ તો ગોંડલના ભોજરાજપરામાં રહેતા પરિવાર પણ દુઃખનો પહાડે તૂટી પડ્યો છે.

આ પરિવારમાં એક પછી એક કરીને બે લોકોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા છે. વિગતવાર વાત કરીએ તો એક પરિવારના મોભીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

હજુ તો પરિવારના સભ્યો આઘાતમાંથી બહાર આવે તે પહેલા ગણતરીની કલાકોમાં જ મૃત્યુ પામેલા વ્યક્તિની પત્નીને પણ હૃદય દગો આપ્યો હતો. પહેલા પતિ અને પછી પત્નીનું મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

વિગતવાર વાત કરીએ તો, 75 વર્ષના રમેશચંદ્ર આચાર્ય ગોંડલ શહેરના ભોજરાજપરા શેરી નંબર ચારમાં રહીને પોતાનું નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા. ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થયું હતું.

હજુ તો પરિવારના સભ્યો તેમની અંતિમક્રિયા કરીને શોકમાંથી બહાર આવ્યા ન હતા. ત્યારે રાત્રે રમેશચંદ્રના પત્ની પ્રેમિલાબેનનું પણ હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. 24 કલાકમાં પરિવારના બે મોભીના મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

ગુજરાત રાજ્યમાં સતત વધતી જતી હાર્ટ એટેકની ઘટના ના કારણે ગુજરાતની જનતા ચિંતામાં મુકાઈ ગઈ છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઘણા લોકોએ હાર્ટ એટેક આવવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*