અંકલેશ્વરમાં 24 વર્ષીય પરિણીત યુવતીએ ઓઢણી વડે ગળેફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવ્યો, જાણો શા માટે આ પગલું ભર્યું…

ગુજરાતમાં જીવ ટૂંકાવી લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલા બેન્સન હોટલ પાસેના હનુમાન ટ્રેડર્સના કમ્પાઉન્ડ ખાતે રૂમમાં 24 વર્ષની મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાનામાં ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાનું નામ પારુલ હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી.

તે 22 તારીખ ના રોજ રાત્રે ભોજન કર્યા બાદ રૂમની બહાર સૂવા જતી હતી. ત્યારે પારુલના પતિ કમલેશે પારુલને રૂમની બહાર સુવા જવાની ના પાડી હતી. આ વાતને લઈને બંને વચ્ચે મોટી માથાકૂટ થઇ ગઇ હતી. આ વાતનું પારુલને ખૂબ જ ખોટું લાગી ગયું હતું.

જેના પગલે પારુલે રૂમમાં જઈને લોખંડની એંગલ સાથે ઓઢણી વડે ગળાફાસો ખાઈ ને પોતાનો જીવ ટૂંકાવી લીધો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે પારુલના મૃતદેહને નીચે ઉતારીને અંકલેશ્વરના સરકારી દવાખાનામાં પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બનતા જ ચારે બાજુ વપરાતો મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી પારુલ પોતાના પતિ થશે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ બેન્સન હોટલ પાસેના હનુમાન ટ્રેડર્સના કમ્પાઉન્ડ ખાતે આવેલા રૂમમાં રહેતી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*