રક્ષાબંધન પહેલા શનિનું થશે નક્ષત્ર પરિવર્તન : કુંભ સહિત આ 3 રાશિના જાતકો સાવધાન

રક્ષાબંધનનો તહેવાર 19મી ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવશે અને તેના એક દિવસ પહેલા એટલે કે 18મી ઓગસ્ટ 2024ના રોજ શનિદેવનું નક્ષત્ર બદલાશે. આ દિવસે રાત્રે 10:03 કલાકે શનિદેવ પૂર્વા ભાદ્રપદના પ્રથમ ચરણમાં પ્રવેશ કરશે અને 2 ઓક્ટોબર સુધી આ નક્ષત્રમાં રહેશે. તમને જણાવી દઈએ કે આ પહેલા શનિદેવ 6 એપ્રિલ 2024થી પૂર્વા ભાદ્રપદના બીજા ચરણમાં બિરાજમાન છે.

જ્યોતિષના જણાવ્યા અનુસાર, પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશતા શનિની અસર તમામ રાશિના લોકોના જીવન પર અલગ-અલગ રીતે અસર કરશે. કેટલીક રાશિઓ માટે આ ભાગ્યશાળી સાબિત થશે, કેટલીક રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે.