સુરતમાં ગુરુના અંતિમ દર્શન કરવા માટે નીકળેલા જૈન સાધ્વીને સીટી બસ ચાલકે કચડી નાખ્યા, જૈન સાધ્વીનું ઘટનાસ્થળે દુઃખદ નિધન… સમગ્ર જૈન સમાજમાં માતમ છવાઈ ગયો…

Published on: 6:04 pm, Mon, 20 February 23

સુરત શહેરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. સુરતમાં અવારનવાર સીટી બસ ચાલકોના કારણે બનતી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં સુરતમાં એક સિટી બસ ચાલકે જૈન સાધ્વીને અડફેટમાં લીધા હતા. આ કારણોસર સાધ્વીનું દુઃખદ નિધન થયું છે. ફરી એક વખત સીટી બસ ચાલકની બેદરકારીના કારણે એક માસુમે પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે જૈન સાધ્વી પગપાળા થઈ રહ્યા હતા, ત્યારે સીટી બસ ચાલકે તેમને અડફેટેમાં લીધા હતા. જેના કારણે જૈન સાધ્વીનું ઘટના સ્થળે દુઃખદ નિધન થયું હતું.અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી.

જૈન સાધ્વીનું દુઃખદ નિધન થતા સમગ્ર જૈન સમાજમાં માતમ છવાઈ ગયો છે. જાણવા મળી રહ્યું છે કે જૈન સાધ્વી પોતાના ગુરુના અંતિમ દર્શન કરવા માટે નીકળ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. ગુરુના દર્શન કરવા માટે જૈન સાધ્વી પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન સુરતના મકાઈ પુલ નજીક એક સીટી બસ ચાલકે તેમને અડફેટેમાં લીધા હતા.

આ અકસ્માતની ઘટનામાં જૈન સાધ્વી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. બસ ચાલકની બેદરકારીના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની છે તેવું કહેવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટના બનતા આજે ચારેય બાજુમાં તમે છવાઈ ગયો હતો.

આ પહેલા પણ સુરત શહેરમાં સીટી બસ ચાલકની બેદરકારીના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. શહેરમાં સીટી બસ ચાલકો ખૂબ જ બેદરકારીપૂર્વક બસ ચલાવી રહ્યા છે. જેના કારણે આવી અકસ્માતની ઘટનાઓ સતત વધતી જાય છે. આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે પ્રશાસન આ અંગે કાંઈ નિર્ણય લે છે કે નહીં?

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં ગુરુના અંતિમ દર્શન કરવા માટે નીકળેલા જૈન સાધ્વીને સીટી બસ ચાલકે કચડી નાખ્યા, જૈન સાધ્વીનું ઘટનાસ્થળે દુઃખદ નિધન… સમગ્ર જૈન સમાજમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*