સુરતમાં પટેલ યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી… પરિવાર સામાજિક કાર્યક્રમમાં ગયો ત્યારે યુવકે…

Published on: 5:09 pm, Mon, 20 February 23

સુરત શહેરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી રહી છે. સુરતના અલથાણા કેનાલ રોડ ઉપર રહેતા શિક્ષકે પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પત્ની, બાળકીઓ અને પરિવારના સભ્યો સામાજિક કાર્યક્રમમાં બહાર ગયા હતા. ત્યારે ઘરમાં એકલા વધેલા શિક્ષકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

શિક્ષકે કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઇને કડોદરા પોલીસ દ્વારા સુસાઇડનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો અલથાણા કેનાલ રોડ ઉપર આવેલા સાલીની એવન્યુના ફ્લેટ નંબર 503 નંબરના ફ્લેટમાં રહેતા નીતિનભાઈ જશુભાઈ પટેલે ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવ્યું હતું.

નીતિનભાઈ પોતાની પત્ની, બે દીકરીઓ અને માતા પિતા સાથે રહેતા હતા. નીતિનભાઈ એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. ગતરોજ નીતિનભાઈનો પરિવાર એક સામાજિક કાર્યક્રમમાં બહાર ગયો હતો. ત્યારે પાછળથી નીતિનભાઈ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

ઘટનાની માહિતી મળતા ખડોદરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ મોદી સાંજે પરિવારના સભ્યો સ્વાધ્યાયના કોઈ કાર્યક્રમમાં ગયા હતા. ત્યારે નીતિનભાઈ ઘરે એકલા હતા.

પછી નીતિનભાઈ અચાનક જ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. કાર્યક્રમમાંથી પરિવારના સભ્યો જ્યારે ઘરે પરત આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. ત્યારે પરિવારના સભ્યોએ નીતિનભાઈ ને ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

નીતિનભાઈના મૃત્યુના કારણે બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમને આ પગલું કયા કારણોસર ભર્યું તેની કોઈપણ માહિતી સામે આવી નથી અને ઘટના સ્થળેથી પોલીસને કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ પણ મળી નથી. નીતિનભાઈ નું મૃત્યુ થતાં જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં પટેલ યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી… પરિવાર સામાજિક કાર્યક્રમમાં ગયો ત્યારે યુવકે…"

Leave a comment

Your email address will not be published.


*