માતાએ પોતાના 3 બાળકોને રેઢા મૂકીને ઘરના ધાબા ઉપરથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું , ચારેય બાજુ મૃત્યુની ચીખો ગુજી ઉઠી…

આજકાલ સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે. જેમાં કેટલાક લોકો કોઈ વાતથી કંટાળીને સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટના આગરા જિલ્લામાંથી સામે આવી છે.

મળતી માહિતી અનુસાર લક્ષ્મણ સિંધલ નામનો વ્યક્તિ તેની પત્ની સોની સિંધલ તેમજ ત્રણ બાળકો સાથે રહે છે. સોનીના લગ્ન 13 વર્ષ પહેલા કોલોનીમાં રહેતા લક્ષ્મણ સાથે થયા હતા. લગ્ન જીવનમાં તેમને ત્રણ બાળકો છે. બાળકોમાં 12 વર્ષીય આસી, 9 વર્ષીય ગોલુ અને 4 વર્ષીય કેસુ છે.

મળતી માહિતી અનુસાર લક્ષ્મણ એક કંપનીમાં એકાઉન્ટર તરીકે નોકરી કરતો હતો. ત્યારે એક દિવસ લક્ષ્મણના ઘરે એવો બનાવ બન્યો કે લક્ષ્મણનો સુખી સંસાર દુઃખમાં ફેરવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર એક દિવસ 35 વર્ષે પત્ની સોની અચાનક જ 12:30 વાગ્યાની આસપાસ ઘરની છત પર ચાલી ગઈ હતી.

ઘરના સભ્યો તેને રોકે તે પહેલા તો સોનીએ ધાબા ઉપરથી કૂદીને પોતાનું જીવનને ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે સોનીની ચીસો સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ બાબત પર પરિવારના કોઈ પણ લોકોએ પોલીસની નિવેદન આપ્યું નથી.

સોનીએ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસે તેની જાણકારી મેળવવાની આગળની કાર્યવાહીઓ હાથ ધરી દીધી છે. સોનીના મૃત્યુના કારણે ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*