હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત નાના વરાછામાં 21 વર્ષના યુવકે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. મળતી માહિતી મુજબ આ યુવકને અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા પૂરી ન થતા આ પગલું ભર્યું છે. મળતી માહિતી અનુસાર જ્યારે ઘરમાં કોઈપણ વ્યક્તિ હાજર ન હતા.
ત્યારે યુવકે સાડી બાંધીને ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી મુજબ યુવકને કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી કરવા માટે એડમિશન મેળવ્યું હતું. પરંતુ યુવકને ત્યાં એડમિશન મળ્યું નહીં ત્યારે યુવક આ કારણોસર ડિપ્રેશનમાં આવી ગયો હતો અને અંતે તેને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
મળતી માહિતી અનુસાર સુરત નાના વરાછાની તાપી દર્શન સોસાયટીની નજીકમાં આવેલી ગિરનાર સોસાયટીમાં મુકેશભાઈ પોતાના પરિવાર સાથે રહે છે. મુકેશભાઈના 21 વર્ષીય પુત્ર દીપકુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. દીપનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, દિપકુમારને અમેરિકામાં કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવો હતો.
પરંતુ તે શક્ય ન બનવાના કારણે ડિપ્રેશનમાં આવીને દીપે પોતાના જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું.મળતી માહિતી અનુસાર અભ્યાસ કરવા માટે એપ્લાય કરી હતી પરંતુ એડમીશન ન મળ્યું, જેના કારણે દીપ ખૂબ જ નિરાશ થઈ ગયો હતો.
અને ઘરમાં એકલતાનો લાભ લઇને સાડી બાંધીને ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. વિદ્યાર્થીઓ માટે ખાસ વાત, કોઈપણ દિવસ પોતાના જીવનમાં બનેલી નકામીના કારણ આ પ્રકારનું પગલું ન કરવું જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "સુરત નાના વરાછામાં 21 વર્ષના યુવકે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો શા માટે ભર્યું પગલું…"