સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં આ વાતને લઈને થયો ચિંતામાં વધારો.

ગુજરાતમાં કમોસમી વરસાદના ઝાંપટા ના કારણે કેરીના પાકને મોટા નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. જૂનાગઢ,ગીર અને અમરેલી જિલ્લાના કેટલાક પંથકમાં કમોસમી છાંટા પડયા હતા. ગુજરાત રાજ્યમાં એક તરફ કોરોના ની કહેર અને બીજી તરફ ગરમીનો પારો વધ્યો છે.

આ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદે ખેતીને નુકસાન પહોંચાડયું છે.હાલ માર્કેટમાં કેરીનું આગમન થઈ રહ્યું છે તો બીજી તરફ ગીર અને અમરેલી પંથકમાં વરસાદના કારણે નુકસાનની ભીતિ જોવા મળી રહી છે.

અમરેલીના ખાંભા તાલુકામાં કમોસમી વરસાદના ઝાંપટા પડયા હતા. ખાંભા, નાનુડી, પીપળવા સહિતના ગામોમાં વરસાદી ઝાપટાથી કેરીના પાકને નુકસાનની ભીતિ છે.

અમરેલી બાદ જૂનાગઢ જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડયો હતો.ઉનાળામાં કમોસમી વરસાદથી ચિંતા વધી છે. કેરીના પાકને નુકસાનની ભીતિ પણ જોવા મળી રહી છે.

કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી જોવા મળ્યો હતો.હાલ કમોસમી વરસાદ પાક માટે નુકસાની ઊભી કરી રહ્યું છે.

પરંતુ દેશના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે અને વર્ષે દેશમાં 98% વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગ દર્શાવી રહ્યું છે. ઓડીસા, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ, આસામમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*