વધતા જતા કોરોના સંક્રમણ ને લઈને રાજકોટ પોલીસ કમિશનર નો મોટો નિર્ણય,જાણો વિગતે.

Published on: 9:13 pm, Sat, 17 April 21

ગુજરાત રાજ્યમાં અત્યંત કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને રાજ્યમાં નહી પણ સમગ્ર દેશભરમાં કોરોના ની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. શુક્રવારે ગુજરાતમાં સૌથી વધારે કેસ નોંધાયા હતા જે આંકડો 8920 નો છે.

માત્ર સુરત અને અમદાવાદ નહીં પરંતુ કોરોના ની આ બીજી લહેર માં રાજકોટ શહેરમાં પણ દિવસે ને દિવસે કેસોમાં વધારો થઈ રહ્યો છે.રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ એ મહત્વનું નિવેદન આપ્યું છે.

શહેરમાં માસ્ક અને સામાજિક અંતર ની ચુસ્ત અમલવારી કરાવવામાં આવશે. કોઇપણ વેપારી, પાન ગલ્લાના ધંધાર્થીઓ પોતે માસ્ક વગર અથવા કોઈ ગ્રાહક માસ્ક વગર દેખાશે તો તેની દુકાન 7 દિવસ માટે બંધ કરવામાં આવશે.

કન્ટેનમેન્ટ ઝોનમાંથી કોઈ વ્યક્તિ બહાર નીકળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા બે દિવસના શહેરમાં રાત્રી કરફ્યુ માં 200થી વધારે કેસ નોંધાયા છે.

રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 759 કેસ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મહાનગરપાલિકાના વિસ્તારમાં જ 707 કેસ છે અને શુક્રવારે સવારની સ્થિતિ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના ની સારવાર દરમિયાન 52 લોકોના મૃત્યુ થયા છે.

રાજકોટ શહેરમાં દિવસે દિવસે કેસ વધી રહ્યા છે ત્યારે પોલીસ કમિશનરનો મહત્વપૂર્ણ નિર્ણય અત્યંત મહત્વનો ગણવામાં આવી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વધતા જતા કોરોના સંક્રમણ ને લઈને રાજકોટ પોલીસ કમિશનર નો મોટો નિર્ણય,જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*