સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવમાં થયો મોટો ઉછાળો, આ ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાણી

સૌરાષ્ટ્રની જામનગર માર્કેટ યાર્ડ માં ગઈકાલે મગફળી ની ધૂમ આવક થયા બાદ આજરોજ મગફળીની આવક અને માર્કેટિંગ યાર્ડમાં આવક બંધ રખાયા નું સેક્રેટરીએ જણાવ્યું હતું. મગફળી નો બજાર ભાવ આજે વિક્રમજનક એટલે 800 થી 1350 વચ્ચે રહ્યો હતો અને મગફળીની હરાજીમાં 5500 ગુણીનું વેચાણ રહ્યું છે.જામનગરમાં મગફળીની ટેકાના ભાવે મૂકીને ખેડૂતો હરાજીમાં મગફળી વેચવા યાર્ડમાં ઉમટ્યા હતા. આ ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે.

જામનગર માર્કેટિંગ યાર્ડમાં આજરોજ મગફળીની આવક બંધ રહી હતી જ્યારે મગફળીની વેચાણ માટે જે હરાજી યોજવામાં આવી હતી તેમાં મગફળીની આવકના પ્રમાણમાં 5500 ગુણીનું વેચાણ થયું હતું. જયારે મગફળી નો ભાવ ખુલ્લા બજારમાં જ 800 થી 1350 રહ્યા હોવાનું યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું હતું.

ખુલ્લા બજારમાં મગફળી વેચવાથી પણ ટેકાના ભાવ કરતાં ₹295 એક મનદીપ મગફળીના ખેડૂતોને વધુ મળી રહ્યા છે. જેનાથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.

આ ભાવ વધારાના કારણે ખેડૂતોને ઘણો લાભ થશે અને ટેકાના ભાવ કરતાં વધારે ભાવ મળી રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*