કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતીઓ માટે આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર, જાણીને ખુશ થઈ જશો

Published on: 11:18 am, Tue, 1 September 20

ગુજરાતમાં કોરોનાની મહામારી હાલમાં યથાવત છે. છેલ્લા કેટલાય દિવસોથી કોરોના દૈનિક કેસો એક હજારથી પણ વધારે સંખ્યામાં આવી રહ્યા છે. તેમજ હાલ ગુજરાતમાં 15 હજારથી પણ વધારે કેસ એક્ટિવ છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત માટે મોટા રાહત ના સમાચાર એ છે કે, રાજ્યમાં કોરોના ના દર્દીઓ નો શ્વાસ થવાનો દર ખૂબ જ ઊંચો છે અને દરમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.

ગુજરાતમાં કોરોના નો રિકવરી રેટ 80.67 ટકા છે. ગઈકાલે રાજ્યમાં 1095 લોકોએ કોટોનાનો મહાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 76,757 દર્દીઓ સાજા થયાં છે. પ્રધાનમંત્રી મોદી ના આદેશ પછી ગુજરાતમાં કોરોના કેસ નું પ્રમાણ ખૂબ જ વધારી દેવામાં આવ્યું છે.

ગઈ કાલે ફૂલ 69,488 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે 1069.05 પ્રતિદિન મીલીયન વસ્તીના છે. આમ કોરોના ના ટેસ્ટ નું પ્રમાણ વધારવામાં આવતાં નવા કેસો વધી રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં નવા 1272 કેસ નોંધાયા હતા. જો કે વધુ કેસો આવવા છતાં દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતની સ્થિતિ ખૂબ જ સારી છે. એક્ટિવ કેસો ની દ્રષ્ટિએ ગુજરાત હાલ દેશમાં 19માં નંબર આવી ગયું છે. ક્યારે કુલ કેસોની દૃષ્ટિએ વાત કરીએ તો દેશમાં ગુજરાતમાં 11 નંબર છે.

એક સમયે ગુજરાતમાં કોરોના નો કેસોમાં ખૂબ જ આગળ નીકળી ગયું હતું. જોકે,હવે ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ સ્થિતિ ખૂબ જ સારી છે. ગુજરાતમાં હાલ, કોરોના નો ફૂલ 95,155 કેસો છે.જેમાંથી એક્ટિવ કેસો 15,272 છે.જ્યારે ફૂલ 3006 લોકોના કોરોના થી મોત થયા છે.

Be the first to comment on "કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતીઓ માટે આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર, જાણીને ખુશ થઈ જશો"

Leave a comment

Your email address will not be published.


*