હા મોજ હા..! લોક સાહિત્યકાર કિર્તીદાન ગઢવીના ડાયરામાં પહેલીવાર કંઈક એવું બન્યું કે…આખા ગુજરાતમાં થવા લાગી વાહ વાહી…

Published on: 2:45 pm, Mon, 24 April 23

રોટલીયા હનુમાન દાદા નું ભવ્ય મંદિર પાટણ શહેરમાં નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે કલાકાર કિર્તીદાન ગઢવી ના ભવ્ય લોક ડાયરા નું આયોજન પ્રથમ પાટોત્સવ નિમિત્તે કરવામાં આવ્યું હતું. આ ડાયરા પ્રવેશ માટે કોઈ ટિકિટ નહીં પણ લોકોને ઘરેથી રોટલો અને રોટલી લઈને આવ્યા હતા.

જો કોઈ રોટલી ન લાવ્યું હોય તો ત્યાં પૈસા આપી રોટલી લઇ પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ડાયરા નું એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં કિર્તીદાન ગઢવી રંગત જમાવતા અને તેના પર નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ડાયરામાં 50,000 થી વધુ રોટલા અને રોટલી ભેગા થયા છે, આ રોટલા અને રોટલી અબોલ પશુઓ અને સ્વાનોને ખવડાવવામાં આવશે.

 પાટણમાં આવેલા રોટલિયા હનુમાન મંદિરને એક વર્ષ પૂર્ણ થતા ખ્યાતનામ કલાકાર કિર્તીદાન ગઢવીનો લોક ડાયરો યોજાયો હતો. આમ તો ઘણા લોકડાયરા આપણે જોયા હશે પણ તેમાં માત્ર રૂપિયાનો વરસાદ તો જોયો હશે પણ પાટણ ખાતે દાદાના લાભાર્થે યોજાયેલા લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ તો જોવા મળ્યો પણ સાથે જીવદયાનું પણ ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું

પાટણમાં આવેલા હાંસાપુર મલ્હાર લિંક રોડ પર આવેલું રોટલીયા હનુમાન મંદિરે સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવું હનુમાન દાદા નું મંદિર છે. જ્યાં માત્ર રોટલા અને રોટલીનો જ પ્રસાદ ચડે છે, ત્યારે આવા રોટલીયા હનુમાન દાદા ના મંદિર ના પ્રથમ પાટોત્સવ નિમિત્તે કિર્તીદાન ગઢવી ના ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરામાં પ્રવેશ માટે ટિકિટ કે પાસ ની વ્યવસ્થા કરવામાં આવે છે.

 આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, જે જીવદયામાં ઉપયોગ કરવામાં આવે છે ત્યારે મેં અનેક કાર્યક્રમ ડાયરાના કર્યા જેમાં રૂપિયાનો વરસાદ થાય છે પણ આ લોક ડાયરામાં રૂપિયાના વરસાદ સાથે રોટલા અને રોટલીના લોકોએ ઢગે ઢગ ખડકી દીધા જે જીવ દયાનું કામ કર્યું છે. તો હું અપીલ કરું છું કે, જયારે પણ રોટલિયા હનુમાન મંદિર જાવ તો રોટલો કે રોટલી લઇ ને જજો તેવી મારી અપીલ છે. તો લોકડાયરામાં લોકો હજારો રોટલી રોટલા લઈને ઉમટ્યા હતા તેમજ લાખો રૂપિયાની ચલણી નોટોનો પણ વરસાદ થયો હતો.

પરંતુ આ ડાયરામાં પ્રવેશ માટે લોકોને ઘરેથી રોટલા કે રોટલી લઈને આવવાનું હતું, આમ રોટલા રોટલી સાથે ડાયરો સાંભળવા આવેલા ભક્તોએ કિર્તીદાન ગઢવી પર ચલણી નોટોનો પણ વરસાદ કર્યો હતો. ભક્તોએ ડાયરામાં 10 લાખથી વધુ ઘોળ કરી હતી, જ્યારે 50 હજારથી વધુ રોટલા અને રોટલી એકઠા થયા હતા.

 ડાયરામાં જવા માટે લોકોએ પાસને બદલે રોટલીઓ અને રોટલા આપતા દેખાય છે.

આ રોટલા અને રોટલી મૂંગા પશુઓને ખવડાવવામાં આવશે, લોક ડાયરામાં ઉપસ્થિત કિર્તીદાન ગઢવીએ જણાવ્યું કે જીવ દયા માટે આપણી પરંપરા મુજબ હંમેશા લોકો આગળ આવે છે. દાનની સરવાણી કરે છે, ત્યારે પાટણમાં આવેલા આ હનુમાન મંદિરમાં ફુલ કે આભૂષણની જગ્યાએ રોટલા અને રોટલી ચઢાવવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

હનુમાનજી ને ચઢાવેલા આ રોટલા અને રોટલી જીવ દયા માં ઉપયોગ કરવામાં આવે છે. કિર્તીદાન ગઢવી એ કહ્યું કે, મેં ડાયરાના અનેક કાર્યક્રમો કર્યા છે જેમાં રૂપિયાનો વરસાદ થાય છે. પરંતુ આ ડાયરામાં લોકોએ રૂપિયાના વરસાદ સાથે રોટલા અને રોટલીના ઢગલે ઢગલા કરી દીધા છે. તો હું તમને સૌ કોઈને અપીલ કરું છું કે જ્યારે પણ રોટલીયા હનુમાન મંદિર જાવ તો રોટલા કે રોટલી લઈને જજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હા મોજ હા..! લોક સાહિત્યકાર કિર્તીદાન ગઢવીના ડાયરામાં પહેલીવાર કંઈક એવું બન્યું કે…આખા ગુજરાતમાં થવા લાગી વાહ વાહી…"

Leave a comment

Your email address will not be published.


*