“યે રિશ્તા ક્યા કહેલાતા હે” સિરીયલથી ફેમસ થયેલી અભિનેત્રીએ ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂકાવ્યો, મૃત્યુના પાંચ દિવસ પહેલા એક વીડિયો શેર કર્યો હતો…જાણો સમગ્ર ઘટના

Published on: 4:39 pm, Sun, 16 October 22

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટુંકાવાની ઘટના સામે આવી છે. મિત્રો તમને જણાવી દઈએ કે 30 વર્ષીય ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ઇન્દોર સ્થિત પોતાના ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

મૃત્યુ પહેલા વૈશાલી એક સુસાઇડ નોટ પણ લખીએ છીએ. સમગ્ર ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસના સમગ્ર કેસને લઈને હાલમાં તપાસ કરી રહી છે. મિત્રો તમને જણાવી દઈએ કે વૈશાલી “બિગ બોસ 11” માં પણ જોવા મળી હતી.

વૈશાલી છેલ્લા એક વર્ષથી ઇન્દોરમાં રહેતી હતી. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. વૈશાલીના મૃતદેહને પોસ્ટમોટમ માટે MS હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. વૈશાલીના મૃતદે પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી છે.

વૈશાલીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેનું સાચું કારણ જાણવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં પોલીસ લવ એંગલથી કેસની તપાસ કરી રહી છે. મૃત્યુના પાંચ દિવસ પહેલા વૈશાલી એસોશિયલ મીડિયામાં એક રિલ શેર કર્યો હતો. આ રીલમાં તેને “દિલ જીગર ક્યાં હૈ… મેં તો તેરે લિયે જાન ભી દે દુ…” આવું ગીત ગાતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Vaishali Takkar (@misstakkar_15)

વૈશાલી ઠક્કરના મૃત્યુના સમાચાર મળતા જ ટીવી ઇન્ડસ્ટ્રીમાં માતમ છવાઈ ગયો હતો. ઉપરાંત તેના ચાહકો પણ ઘોર આઘાતમાં ચાલ્યા ગયા હતા. વૈશાલી એ આ પગલું ભર્યું હશે તેના મિત્રો પણ સ્વીકારવા તૈયાર નથી. વૈશાલી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત 2015માં એ “રિશ્તા ક્યા કહેલાતા હૈ” નામની સિરીયલથી કરી હતી. ત્યારબાદ વૈશાલી ઘણી અલગ અલગ સીરીયલો માં જોવા મળી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "“યે રિશ્તા ક્યા કહેલાતા હે” સિરીયલથી ફેમસ થયેલી અભિનેત્રીએ ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂકાવ્યો, મૃત્યુના પાંચ દિવસ પહેલા એક વીડિયો શેર કર્યો હતો…જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*