શું ગુજરાત રાજ્યમાં લાગશે સંપૂર્ણ લોકડાઉન ? રાજ્યની રૂપાણી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય.

Published on: 3:35 pm, Tue, 11 May 21

રાત્રી કરફ્યુના સમયમાં ફેરબદલ થશે કે નહીં તે અંગે પ્રદીપસિંહ જાડેજાએ મોટું નિવેદન આપ્યું છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે રાત્રી કર્ફ્યુ ના સમયમાં ફેરબદલ કરવો કે નહીં અને વેપાર-ઉદ્યોગમાં કેટલી છૂટ આપવી કે નહીં તેના પર હવે નિર્ણય કરવામાં આવશે.

અવધિ પૂર્ણ થયા બાદ જે તે તાલુકામાં સ્થિતિ જોઈને કોર કમિટીમાં અંગે નિર્ણય લેવાશે. નોંધનીય છે કે સરકારે લગાવેલા નિયંત્રણ 12 મે ના રોજ પૂરા થઇ રહ્યા છે એટલે કે આગામી એક-બે દિવસમાં સરકારના નિયંત્રણ.

અને આગળ લંબાવવા કે પછી તેમાં છૂટ આપવી તેને લઈને નિર્ણય કરશે. બીજી બાજુ ગુજરાતમાં સતત વધી રહેલા વાઇરસના કેસ ને જોતા ભાજપના અનેક ધારાસભ્યોએ ગુજરાતમાં લોકડાઉન લગાવવાની માંગ કરી છે.

આવતીકાલે રાજ્યની રૂપાણી સરકાર ગુજરાતમાં લોકડાઉન લગાવો કે નહીં. તેને લઈને નિર્ણય લઈ શકે છે. ગઈકાલે કોરોના ની ત્રીજા વેવ ની તૈયારીઓ માટે એક્સપર્ટ કમિટી સાથે બેઠક કર્યા બાદ.

રાજ્યના આરોગ્ય સચિવ એ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યું હતું કે હાલ બીજી લહેર માં કેસ ઘટી રહ્યા છે. ડિસ્ચાર્જ રેટ પણ વધ્યો છે જો કે દેશમાં કોરોના ની ત્રીજી લહેર નો પણ સંભવિત ખતરો છે.

ત્રીજી લહેર પહેલા સાવચેતી રાખવી જરૂરી છે. ત્રીજી લહેર પહેલા વેક્સિનેશન ને વધુ ઝડપી બનાવવામાં આવશે જેથી કરીને લોકો ઓછા સંક્રમિત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શું ગુજરાત રાજ્યમાં લાગશે સંપૂર્ણ લોકડાઉન ? રાજ્યની રૂપાણી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય."

Leave a comment

Your email address will not be published.


*