મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થશે કે નહીં? તે બાબતે આપ્યુ નિવેદન.

Published on: 2:50 pm, Mon, 21 June 21

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના મંત્રી મંડળમાં ફેરફારને લઇને ઘણી ચર્ચા ચાલી રહી હતી પરંતુ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તે બાબતે મહત્વનું નિવેદન આપ્યું. આજે ગાંધીનગર ખાતે યોજાયેલી વોક-ઈન વેક્સિનેશન ના શુભારંભ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે યોગા દિવસે રસીકરણ અભિયાન શરૂ થયું છે.

અને રાજ્યના તમામ નાગરિકોને રસી લેવા માટે અપીલ કરું છું. આ ઉપરાંત તેમને ગુજરાત સરકારમાં મંત્રી મંડળમાં ફેરફારને લઇને પણ મોટું નિવેદન આપ્યું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે મંત્રી મંડળમાં વિસ્તરણને લઇને ઇનકાર કર્યો હતો આ ઉપરાંત તેને કહ્યું કે ગુજરાત સરકારમાં મંત્રી મંડળમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થશે નહીં.

મંત્રીમંડળમાં ફેરફાર ની વાત અવિશ્વસનીય છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી મંત્રીમંડળમાં ફેરફાર થશે તેવી ચર્ચા થઈ રહી હતી પરંતુ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તે મુદ્દે સ્પષ્ટતા કરી દીધી.

આ ઉપરાંત વિજય રૂપાણી ની સરકારે આજથી રાજ્યમાં વોક-ઈન વેક્સિનેશનનો પ્રારંભ કરી દીધો છે. જેના કારણે હવે 18 વર્ષથી ઉપરના લોકો ને રસી લેવા માટે કોઇ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન નહીં કરાવવું પડે.

આ મામલે આજે ગુજરાતના પ્રવાસ માં આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે જણાવ્યું કે હવે ગુજરાતમાં 17 વર્ષના ઉપરના લોકોને રજીસ્ટ્રેશન નહીં કરવું પડે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થશે કે નહીં? તે બાબતે આપ્યુ નિવેદન."

Leave a comment

Your email address will not be published.


*