રાજ્યના 36 શહેરોને કરફ્યુમાંથી મુક્તિ મળશે કે નહીં ? આજે લેવાઈ શકે છે મોટો નિર્ણય.

Published on: 10:26 am, Tue, 11 May 21

રાજ્યના છેલ્લા કેટલાક દિવસથી કેસમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ લોકોએ વધુ સાવચેતી રાખવાની ખૂબ જ જરૂરી છે. રાજ્ય સરકારે 4 મે ના રોજ રાજ્યના 29 ઉપરાંત સાત અન્ય શહેરો એમ ફૂલ 36 શહેરોમાં રાત્રી કર્ફ્યુ ની જાહેરાત કરી હતી. આ શહેરોમાં રાત્રે 8 થી 6 વાગ્યા સુધી કરફ્યુ છે.

તો દિવસ દરમિયાન પણ જરૂરી વસ્તુઓની સેવાઓ ચાલુ છે. બિન જરૂરી સામાન ની દુકાન પણ બંધ રાખવામાં આવી છે તો હવે આ કરફ્યુની મુદત 12 મે એ પૂર્ણ થઈ રહી છે. તેવામાં રાજ્ય સરકાર મંગળવારે કોઈ નિર્ણય લઈ શકે છે.

અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં વાયરસથી થોડી રાહત મળી છે. પરંતુ રાજ્ય સરકાર કરફયુ માંથી ઢીલ આપશે તેમ લાગી રહ્યું નથી.

કોરોના સંક્રમણ કાબુમાં કરવા માટે કડક નિયમોનું જરૂર છે. તેવામાં 12 મે એ પૂર્ણ થઈ રહેલા કરફ્યુ પહેલા સરકાર મંગળવાર જાહેરાત કરી શકે છે.

ગુજરાત માં વાયરસ ની બીજી લહેર છેલ્લા એક અઠવાડિયાથી કેસની સંખ્યામાં કમશ: ઘટાડો જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ના નેતૃત્વમાં ગુજરાત મક્કમતાથી વાયરસ ની પ્રથમ અને બીજી લહેરનો સામનો કર્યો છે.

સંભવિત ત્રીજી લહેર સામે પણ ગુજરાતમાં પુરી સજ્જતા અને સત્ક્રતાના આગોતરા આયોજનના નિર્ધાર સાથે મુખ્યમંત્રીના નિવાસસ્થાને કોવિડ ટાસ્ક ફોર્સ ની બેઠક મળી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યના 36 શહેરોને કરફ્યુમાંથી મુક્તિ મળશે કે નહીં ? આજે લેવાઈ શકે છે મોટો નિર્ણય."

Leave a comment

Your email address will not be published.


*