પટેલ સમાજનું ગૌરવ કહેવાતા વિઠ્ઠલ રાદડિયા કેમ પોતાની ગાડી અને ઘર પર ‘વૈભવ’ લખાવતા હતા..? તેની પાછળ હતું આ ખાસ કારણ…

Published on: 11:30 am, Sun, 20 November 22

મિત્રો તમે બધા પટેલ સમાજનું ગૌરવ કહેવાતા એવા વિઠ્ઠલભાઈ રાદડિયા અને તો જરૂર ઓળખતા હશો. વિઠ્ઠલભાઈ રાદડિયા ભલે આજે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ તેઓ આજે પણ હજારો લોકોના દિલમાં વસે છે. વિઠ્ઠલભાઈ રાદડિયાએ હંમેશા ખેડૂતો માટે કામ કર્યા છે. આજે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓના દિલમાં વિઠ્ઠલભાઈ રાદડિયા વસે છે. વિઠ્ઠલભાઈ રાદડિયાનું નામ એવું હતું જે સાંભળીને તેમનો પરિચય આપવાની જરૂર ન હતી.

સૌરાષ્ટ્રના ખૂબ જ લોકપ્રિય નેતા એવા વિઠ્ઠલભાઈ રાદડિયાના નિધન બાદ લોકો હાલમાં પણ તેમને યાદ કરી રહ્યા છે. વિઠ્ઠલભાઈ રાદડિયાનું લાંબી બીમારી બાદ નિધન થયું હતું. વિઠ્ઠલભાઈ રાદડિયાનું નામ એવું હતું કે જેઓ જે પણ પક્ષમાં ઊભા રહે તે ચૂંટણી જીતતું હતું. પરંતુ વિઠ્ઠલભાઈ રાદડિયા મોઢાના કેન્સર સામે હારી ગયા હતા. 29 જુલાઈ 2019 ના રોજ વિઠ્ઠલભાઈ રાદડિયાનું નિધન થયું હતું.

તેમના મૃત્યુના સમાચાર મળતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. તેમના મતવિસ્તાર જામકંડોરણા, ધોરાજીના મતદારો પર તેમની ખૂબ જ સારી એવી પકડ હતી. સૌરાષ્ટ્રમાં વિઠ્ઠલભાઈ રાદડિયા છોટે સરદાર નામથી પણ જાણીતા હતા. મિત્રો વિઠ્ઠલભાઈ રાદડિયા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેમને તેમની આસપાસ રહેતા લોકો અને ખેડૂતોનો જ વિચાર્યું હતું.

વિઠ્ઠલભાઈ રાદડિયા અનેક સંસ્થાઓ ચલાવતા હતા, પરંતુ તેમાં ઘણી સંસ્થાઓ ખાસ હતી. જેમાં જામકંડોરણા ખાતે આવેલા લેઉવા પટેલ કન્યા છાત્રાલય, હંસરાજભાઈ સવજીભાઈ રાદડિયા લેઉવા પટેલ વિદ્યાર્થી ભવન જેવી સંસ્થાઓ વિઠ્ઠલભાઈ રાદડિયા ચલાવતા હતા. મિત્રો તમને ખબર ન હોય તો જણાવી દે કે વિઠ્ઠલભાઈ રાદડિયા પોતાના તમામ વાહનોની પાછળ વૈભવ નામ લખાવતા હતા.

તો ચાલો જાણીએ તેઓ શા માટે પોતાના તમામ વાહનોની પાછળ વૈભવ નામ લખાવતા હતા. મિત્રો વિઠ્ઠલભાઈ રાદડિયાના પરિવારમાં ચાર દીકરાઓ છે. જેમાંથી સૌથી નાનો દીકરો વૈભવ વિઠ્ઠલભાઈ રાદડિયાને ખૂબ જ વહાલો હતો. વૈભવનો ખૂબ જ યુવાન વયે મૃત્યુ થયું હતું. દીકરાના મૃત્યુ બાદ વિઠ્ઠલભાઈ રાદડિયા આઘાતમાં સરી પડ્યા હતા.

વૈભવના મૃત્યુ બાદ વિઠ્ઠલભાઈ પોતાના દીકરાને કોઈ પણ કારણસર ભૂલી શકતા ન હતા. હંમેશા તેમને યાદ કરીને તેઓ રડી પડતા હતા. પોતાના દીકરાની યાદગીર માટે તેઓ પોતાના બધા વાહનો પાછળ વૈભવ નામ લખાવતા હતા. આજે પણ વિઠ્ઠલભાઈ રાદડિયાના તમામ વાહનો પર વૈભવ નામ લખેલું તમે વાંચી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પટેલ સમાજનું ગૌરવ કહેવાતા વિઠ્ઠલ રાદડિયા કેમ પોતાની ગાડી અને ઘર પર ‘વૈભવ’ લખાવતા હતા..? તેની પાછળ હતું આ ખાસ કારણ…"

Leave a comment

Your email address will not be published.


*