અચાનકજ અમદાવાદ એરપોર્ટ ની કેમ 54 ફલાઇટ કરવામાં આવી રદ ? જાણો સમગ્ર મામલો.

Published on: 2:30 pm, Sun, 18 April 21

અમદાવાદ એરપોર્ટ ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ રિસરર્ફેસીંગ ને લીધે બંધ રહેશે.20 એપ્રિલ થી 10 દિવસ માટે એરપોર્ટનો રન વે બંધ રહેશે. એરપોર્ટ બંધ રહેતા ઈન્ડિગો ની 3 ફલાઇટ ડાઇવર્ટ કરવામાં આવી છે.

અને ઈન્ડિગો ની ડ્રાઈવર ફ્લાઇટ વડોદરા થી ઓપરેટ કરવામાં આવશે. આ સિવાય એરપોર્ટ બંધ થતા એરલાઇન કંપનીઓને નુકસાન થશે. રન વે રિસરફેસ ના લીધે દરરોજ ની 54 ફલાઇટ રદ થશે.

અમદાવાદમાં સતત કોરોના નો કાળો કહેર વર્તાઇ રહો છે. અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી 2500 થી વધારે કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી સરદાર પટેલ નું નામ બદલ્યા બાદ તેઓ ચર્ચામાં રહ્યું હતું.

અને હાલમાં અમદાવાદ એરપોર્ટનું નામ અદાણી એરપોર્ટ તરીકે ઓળખાઇ રહ્યું છે. જ્યારે આ નામ કારણે પણ ઘણું વિવાદમાં રહ્યું હતું. જ્યારે તેની સાથે અમદાવાદ એરપોર્ટ ના પાર્કિંગ ના ભાવ વધારાના કારણે પણ ચર્ચામાં રહ્યો હતો.

ગુજરાત રાજ્યમાં કોરોના ની પરિસ્થિતિ ની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 91 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5267 લોકોના મોત કોરોના ના કારણે થયા છે.

ગઇકાલ કરતાં આજ રોજ કોરોના કેસ માં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 304 લોકો વેન્ટીલેટર પર છે અને એક્ટિવ કેસનો આંકડો 55,398 પર પહોચ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અચાનકજ અમદાવાદ એરપોર્ટ ની કેમ 54 ફલાઇટ કરવામાં આવી રદ ? જાણો સમગ્ર મામલો."

Leave a comment

Your email address will not be published.


*