દહીં લેવા જવાની બાબતમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં, ગુસ્સામાં આવીને પત્નીએ ભર્યું એવું પગલું કે – જાણીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે…

Published on: 3:01 pm, Thu, 30 June 22

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. આ ઘટનામાં દહીં લેવા જવાની બાબતમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન ગુસ્સામાં આવેલી પત્નીએ ઇલેક્ટ્રીક કટર વડે પોતાના અને 9 મહિનાના દીકરાના ગળા પર પ્રહાર કર્યા હતા. માતા અને દીકરાને ઇજાગ્રસ્ત હાલતમાં જોઈને પરિવારના સભ્યો બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. ત્યારે 9 મહિનાના દીકરાની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે. આ સમગ્ર ઘટના ચૂરુ જિલ્લાના સરદારશહર વિસ્તારમાં બની હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના બુધવારના રોજ સાંજના સમયે લગભગ 6 વાગ્યાની આસપાસ બની હતી.

ઝાલરિય કુઆં ગામની રહેવાસી 26 આરતી દેવી નામની મહિલાએ સૌપ્રથમ પોતાના 9 મહિનાના દીકરા પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા અને ત્યારબાદ પોતે પોતાનું જીવન ટૂંકાવી લીધું. આ ઘટના બની ત્યારે મૃત્યુ પામેલી મહિલાના સાસુ ઘરે ઘંટી ચલાવી રહ્યા હતા. જ્યારે મહિલાનો પતિ રામલાલ અને તેના સસરા મંદિર ગયા હતા.

જ્યારે પતિ અને સસરા ઘરે આવ્યા ત્યારે મહિલાના રૂમનો દરવાજો બંધ હતો. અને અંદરથી ઈલેક્ટ્રીક કટર ચાલવાનો અવાજ આવતો હતો. જ્યારે બારીમાંથી પતિ રામલાલે ચેક કર્યું ત્યારે તેની પત્ની અને નવ મહિનાનો બાળક ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ માતા અને દીકરાને ઇજાગ્રસ્ત હાલતમાં બિકાનેર રોડ પરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ત્યાં હાજર ડોક્ટરે તેમને બિકાનેર રેફર કર્યા હતા. બિકાનેર લઈ જતી વખતે રસ્તામાં આરતી દેવીનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. જ્યારે હાલમાં 9 મહિનાના બાળકની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસ પૂછપરછ માં જાણવા મળ્યું કે બુધવારના રોજ દહીં લેવા જવાની બાબતમાં પતિ રામલાલ અને પત્ની આરતી દેવી વચ્ચે ઝઘડો થયો હતો.

ગુસ્સામાં આવીને આરતી દેવીએ આ પગલું ભર્યું હશે હાલમાં તેવું કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સાંજના છ વાગ્યાની આસપાસ બની હતી. પરંતુ આ ઘટનાની માહિતી પોલીસને બીજા દિવસે સવારે 10:00 વાગ્યાની આસપાસ મળી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે પુરાવા એકત્રિત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દહીં લેવા જવાની બાબતમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં, ગુસ્સામાં આવીને પત્નીએ ભર્યું એવું પગલું કે – જાણીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*