અમેરિકામાં ધોરણ-9માં અભ્યાસ કરતી દીકરી સાથે એવું તો શું થયું હશે કે, તે અમેરિકાની મોહમાયા છોડીને ભારત આવી ગઈ…

Published on: 3:00 pm, Tue, 11 October 22

મિત્રો દરેક બાળકોને એક વાત કહેવા માગું છું. જ્યારે તમને તમારા માતા પિતા કોઈ ચીજ વસ્તુ લઈ લેવાની ના પાડે ત્યારે તે તમારી ભલાઈ માટે જ કહેતા હોય છે. પરંતુ અમુક બાળકો આ વાતનું ખોટું લગાવીને આ પ્રકારનું પગલું ભરી લેતા હોય છે. દરેક બાળકોને કહેવું છે કે, તમારા માતા-પિતા જે પણ કરતા હોય તે તમારી ભલાઈ માટે જ કરતા હોય છે.

મિત્રો આજકાલની યુવા પેઢી સારા અભ્યાસ અને ભવિષ્ય માટે વિદેશમાં જઈને ભણવાનું વધારે પસંદ કરે છે. લાખો યુવાનોના સપના હોય છે કે તેઓ બહાર જઈને પોતાનો અભ્યાસ પૂર્ણ કરે. પરંતુ તેમાંથી અમુક લોકોના જ સપના પૂરા થતા હોય છે. ત્યારે આજે અમે એક એવી દીકરી વિશે વાત કરવાના છીએ જે અમેરિકાની બધી મોહમાયા છોડીને પોતાના દેશ ભારતમાં પાછી આવી ગઈ છે.

દીકરી શા માટે ભારત પાછી આવી તે કારણ જાણીને તમે પણ ચોકી જશો. આ દીકરી અમેરિકામાં ધોરણ નવ માં અભ્યાસ કરતી હતી. પરંતુ એવું તો શું થયું હશે એની સાથે કે તે અમેરિકા છોડીને વૃંદાવન આવી ગઈ હતી. આ દીકરીનું નામ રાધે છે. આ દીકરીને બાળપણથી જ ભક્તિમાં ખૂબ જ રસ હતો.

દીકરી બાળપણથી જ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં કરતી હતી. તેથી દીકરી એ નક્કી કર્યું કે તે વૃંદાવન આવશે અને તેને પોતાના માતા પિતા પાસેથી પણ રજા લઈ લીધી. ત્યારબાદ થોડા દિવસો પછી તે અમેરિકાની મોહમાયા મૂકીને વૃંદાવન આવી ગઈ હતી. વૃંદાવન આવીને તેને એવું થયું કે તે હવે હંમેશા માટે વૃંદાવનમાં જ રહેશે અને ભગવાનની ભક્તિ કરશે.

આજે પણ આ દીકરી વૃંદાવનમાં રહીને ભગવાનની ભક્તિ કરી રહે છે. તેને પોતાનું નામ બદલીને રાધા કરી દીધું છે. આ દીકરીએ પોતાનો અભ્યાસ મૂક્યો નથી. તે પોતાના અભ્યાસ માટે અમુક સમયે માટે અમેરિકા જાય છે અને રજાના દિવસોમાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવા માટે વૃંદાવન આવી જાય છે.

દીકરીનું કહેવું છે કે મારે જીવનમાં કાંઈ નથી જોતું. મને ભગવાન શ્રીકૃષ્ણના રૂપમાં બધું જ મળી ગયું છે. દીકરીનું કહેવું છે કે લાખો કરોડો રૂપિયાની સંપત્તિ આની આગળ કાંઈ જ નથી. હવે આ દીકરીને દુનિયામાં ભગવાન સિવાય બીજું કાંઈ નથી દેખાતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમેરિકામાં ધોરણ-9માં અભ્યાસ કરતી દીકરી સાથે એવું તો શું થયું હશે કે, તે અમેરિકાની મોહમાયા છોડીને ભારત આવી ગઈ…"

Leave a comment

Your email address will not be published.


*