ગુજરાતમાં 1 ઓગસ્ટ થી લોકડાઉન અંગે લેવાશે શું મોટો નિર્ણય ? રૂપાણી સરકાર કરી શકે છે એક-બે દિવસમાં જાહેરાત

Published on: 4:40 pm, Tue, 28 July 20

કોરોનાવાયરસ ના કારણે દેશભરમાં જાહેર કરાયેલા લોકડાઉન પછી મોદી સરકારે 1 જૂનથી લોકડાઉન માં રાહતો આપીને છૂટછાટો આપવાની શરૂઆત કરી હતી . બે મહિનામાં બે તબક્કામાં મોદી સરકારે સંખ્યાબંધ છૂટછાટો આપી છે. ગુજરાત સરકાર પણ એ પ્રમાણે છૂટછાટ આપી દીધેલ છે.

મોદી સરકારના નિર્દેશ પ્રમાણે ગુજરાતમાં અનલૉક 2 નો અમલ 31 જુલાઇ સુધી કરાયો છે. 1 ઓગસ્ટ ને શનિવારથી લોકડાઉન ના નવા નિયમો આવશે.મોદી સરકારે લોકડાઉન માં વધુ છૂટછાટ આપી ને અનલૉક 3 ની તૈયારીઓ સરકાર કરી રહી છે.આ અનલૉક 3 માં મોદી સરકાર જિમ અને મલ્ટીપ્લેક્સ થિયેટરો શરૂ કરવાની મંજૂરી આપે એવી શક્યતાઓ જોવાઈ રહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી જીમ અને મલ્ટીપ્લેક્સ થિયેટરો શરૂ કરવાની મંજૂરી આપીને તેમના માટે લોકડાઉન હટાવી લેવાનો મોટો નિર્ણય 1/2 દિવસમાં જાહેર કરે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મલ્ટિપ્લેક્સ અને થિયેટરને 25% ટિકિટો વેચવાની શરતો સાથે ખોલવા માટે પરવાનગી આપવામાં આવી શકે છે.

Be the first to comment on "ગુજરાતમાં 1 ઓગસ્ટ થી લોકડાઉન અંગે લેવાશે શું મોટો નિર્ણય ? રૂપાણી સરકાર કરી શકે છે એક-બે દિવસમાં જાહેરાત"

Leave a comment

Your email address will not be published.


*