દિવાળી પછી રાજ્ય માં શાળાઓ ચાલુ કરવાને લઈને રૂપાણી સરકારે શું લીધો નિર્ણય?જાણો

Published on: 3:33 pm, Thu, 5 November 20

કોરોના મહામારી ના કારણે રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ છેલ્લા કેટલાક મહિનાથી બંધ છે. ફરી વખત શાળાઓ ચાલુ કરવા માટે બુધવારના રોજ એટલે કે ગઈકાલે કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કહેવામાં આવ્યું કે,મુખ્યમંત્રી રૂપાણી અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં દિવાળી પછી શાળાઓ ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને જણાવ્યું કે,પ્રથમ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવાની વિચારણા છે.

અને આમ છતાં આરોગ્ય વિભાગ સાથે વાતચીત કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.રાજ્ય કેબિનેટની ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં શિક્ષણ મંત્રી ચુડાસમાએ શાળાઓ શરૂ કરવાનું મુદ્દે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.શાળાઓ ચાલુ કરતા પહેલા માસ્ક,સોશીયલ ડિસ્ટન્સ,સેનીટાઈઝર જેવી બાબતોનું ફરજિયાત પણે પાલન કરવાનું રહેશે.

વિદ્યાર્થીઓ પીવાના પાણી નાસ્તા બાબતે,બેઠક વ્યવસ્થા, એક રૂમ માં કેટલા વિદ્યાર્થીઓ નો સમાવેશ કરવો, બાકીના વિદ્યાર્થીઓ ની અવસ્થા કઈ રીતે કરવી, ઓડ ઈવન પદ્ધતિ ગોઠવવી કે પછી એક દિવસ સવારે બપોરે.

તે રીતે,આવી અનેક બાબતોનું પાલન કઈ રીતે કરવાનું રહેશે તેની માર્ગદર્શિકા આરોગ્ય વિભાગ સાથે વાતચીત કર્યા બાદ તૈયાર કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દિવાળી પછી રાજ્ય માં શાળાઓ ચાલુ કરવાને લઈને રૂપાણી સરકારે શું લીધો નિર્ણય?જાણો"

Leave a comment

Your email address will not be published.


*