જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહીર કમા વિશે વાત કરતા કહ્યું કે, “કાર્યક્રમમાં ગમે તે કલાકાર ગાતા હોય પણ કમો આવે ત્યારે…

Published on: 6:19 pm, Tue, 4 October 22

રાતો રાત સેલિબ્રિટી બની ગયેલા કમાભાઈને તો તમે બધા જાણતા હશો. કિર્તીદાન ગઢવીના ડાયરામાં ફેમસ થયેલો કમો આજે દેશ-વિદેશમાં ફેમસ થઈ ગયો છે. તમે સોશિયલ મીડિયામાં કમાણા ઘણા બધા વાયરલ વિડીયો જોયા હશે. હાલમાં નવરાત્રી ચાલુ છે અને નવરાત્રિમાં કમાની કમાલ જોવા મળી રહે છે.

કમો નવરાત્રીમાં સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના અનેક જગ્યાએ નવરાત્રીના કાર્યક્રમમાં જોવા મળ્યો હતો. નવરાત્રીના અનેક કાર્યક્રમોમાં માત્ર કમાને જોવા માટે લોકોએ પડા પડી કરી હતી. આટલું જ નહીં પરંતુ કમાનો એક ફોટો પાડવા માટે પણ લોકોએ પડાપડી કરી હતી. નવરાત્રિના બીજા નોરતાના દિવસે કમો જીગ્નેશ કવિરાજની સાથે સ્ટેજ પર જોવા મળ્યું હતું.

આ નવરાત્રીના કાર્યક્રમમાં કમાણા અને જીગ્નેશ કવિરાજના મોટી સંખ્યામાં ચાહકો આવ્યા હતા. સોશિયલ મીડિયામાં તમે કમાના ઘણા વિડીયો જોયા હશે અને કમાના વિડીયો લાખોની સંખ્યામાં લોકો જોવે છે. ત્યારે નવરાત્રિના દિવસોમાં કમો કિર્તીદાન ગઢવી સાથે સ્ટેજ પર જોવા મળ્યો હતો.

ત્યાં કમાયે સ્ટેજ પર એક અનોખા અંદાજમાં ડાન્સ કર્યો હતો. તે વિડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમને બધાને ખબર હશે કે કમાને લઈને ઘણા બધા જાણીતા લોકોએ પોતાના અલગ અલગ નિવેદનો આપ્યા છે. ત્યારે કમાને લઈને જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહીરે એક કાર્યક્રમમાં વાત કરતા કહ્યું હતું કે, કમો ઉપડી ગયો તો બીજાની ક્યાં વાત કરવાની, તમે જુઓ તો ખરા પબ્લિકને શું કહેવું આપડે.

આ એક આનંદ જેવી વાત છે. માયાભાઈ આહીરે કહ્યું કે, કાર્યક્રમમાં ગમે તે કલાકાર ગાતા હોય પણ કમો આવે ત્યારે બધા લોકો દોડીને તેની પાસે જતા રહે છે. ફેમસ થઈ ગયો બોલો… માયાભાઈ કહે છે કે સેલિબ્રિટીનો અર્થ શું છે  તમને બધાને ખબર છે, કાંઈ બોલો નહીં અને દુનિયા સામે ખાલી કુદો અને આનંદ કરો અને તો પણ સમાજ સ્વીકારી લે છે… અમુક માણસો તો બોલીને બગાડે છે…

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર kothariya_kamo_official નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહીર કમા વિશે વાત કરતા કહ્યું કે, “કાર્યક્રમમાં ગમે તે કલાકાર ગાતા હોય પણ કમો આવે ત્યારે…"

Leave a comment

Your email address will not be published.


*