ભયંકર વાવાઝોડું બિપોરજોય પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આવી રહ્યું છે
ભૂમિ દ્વારકા ખાતે આવેલા દ્વારકાધીશ મંદિરે બે ધજા એક સાથે ચડાવવામાં આવી છે.
બે ધજા સાથે ચડાવવાથી દ્વારકા પર થી સંકટ ટળી જશે.
તૌકતે વાવાઝોડા વખતે પણ દ્વારકાધીશ મંદિરે બે ધજા એક સાથે ચડાવવામાં આવી હતી
વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના કચ્છના દરિયાકાંઠે વર્તાવા લાગી છે.
ગઈકાલે ભારે પવનના કારણે દ્વારકાધીશ મંદિર પર બાવન ગજની ધજા અડધી પાટલીએ ચડાવાઈ હતી.
ઠંડી હોય કે ગરમી હોય કે ભારે વરસાદ હોય ત્યારે અબોટી બ્રાહ્મણો આ કાર્યને સેવા ગણીને દિવસની પાંચ ધજા ચઢાવવાનું ક્યારેય ચૂકતા નથી.