વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી
વાવાઝોડું આક્રમક અને તોફાની હશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.
તારીખ 7, 8 અને 9 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં તોફાન ઉઠશે
વાવાઝોડાની અસર પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર થઈ શકે છે.
ગુજરાત સિવાય મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે
ચોમાસુ 15 જૂનની આસપાસ શરૂ થવાનું છે તેવી આગાહી કરવામાં આવી રહી છે.